Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates देवपूजा गुरुपास्ति, स्वाध्यायः संयमस्तपः। दानञ्चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने।। ૧. દેવપૂજા ૨. ગુરુની ઉપાસના ૩. સ્વાધ્યાય ૪. સંયમ ૫. તપ ૬. દાન. શ્રોતા- કૃપા કરીને એ સંક્ષેપમાં સમજાવો. પ્રવચનકાર- જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ નિશ્ચયથી ભાવ-દેવપૂજા છે અને સાચા દેવનું સ્વરૂપ સમજીને તેમના ગુણોનું સ્તવન તે જ વ્યવહારથી ભાવ-દેવપૂજા છે. જ્ઞાની શ્રાવક વીતરાગતા અને સર્વજ્ઞતા આદિ ગુણોનું સ્તવન કરતાં વિધિપૂર્વક અષ્ટદ્રવ્યથી પૂજન કરે છે તેને દ્રવ્યપૂજા કહે છે. એવી જ રીતે જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે જ નિશ્ચયથી ગુરુ-ઉપાસના છે અને ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવી તે જ વ્યવહાર-ગુરુ ઉપાસના છે. તમને પહેલાં બતાવી દીધું છે કે અરિહંત અને સિદ્ધ ભગવાન દેવ કહેવાય છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ગુરુ કહેવાય છે. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સ્વાધ્યાય છે અને જિનેન્દ્ર ભગવાને કહેલા તત્ત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનું અધ્યયન, મનન કરવું તે વ્યવહાર-સ્વાધ્યાય છે. શ્રોતા- એ તો ત્રણ થયા. પ્રવચનકાર- સાંભળો, જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સંયમ છે. અને તેની સાથે હોવાવાળા ભૂમિકા અનુસાર હિંસાદિથી વિરતિ અને ઈન્દ્રિય-નિગ્રહ એ વ્યવહાર-સંયમ છે. જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ અર્થાત્ શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ (ઉત્પન્ન ન થવું) તે નિશ્ચય-તપ છે તથા તેની સાથે હોવાવાળા અનશનાદિ સંબંધી શુભ ભાવ તે વ્યવહાર-તપ છે. ૧૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40