Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ પાંચમો કર્મ સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રાચાર્ય (વ્યક્તિત્વ અને કર્તુત્વ) जह चक्केण य चक्की, छक्खंडं साहियं अविऽघेण। तह मइ चक्केण मया, छक्खंडं साहियं सम्म।। જેવી રીતે સુદર્શન ચક્ર વડે ચક્રવર્તી છ ખંડ સાધી (જીતી) લે છે, તેવી જ રીતે મેં (નેમિચન્દ્ર) મારી બુદ્ધિરૂપી ચકથી પખંડાગમરૂપી મહા સિદ્ધાંતને સાધ્યા છે,” તેથી તેઓ “સિદ્ધાંત-ચક્રવર્તી' કહેવાયા. તેઓ પ્રસિદ્ધ જૈન રાજા ચામુંડરાયના સમકાલીન હતા અને ચામુંડરાયનો સમય અગિયારમી સદીના પૂર્વાર્ધ છે. તેથી આચાર્ય નેમિચંદ્ર પણ એ જ સમયે ભારત-ભૂમિને શોભાવી રહ્યા હતા. એ કોઈ સામાન્ય વિદ્વાન નહોતા. એમણે રચેલા ગોમટસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, ત્રિલોકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર વગેરે ઉપલબ્ધ ગ્રંથ તેમની અસાધારણ વિદ્વત્તા અને “સિદ્ધાન્ત-ચક્રવર્તી”ની પદવીને સાર્થક સિદ્ધ કરી રહ્યા છે. તેમણે ચામુંડરાયના આગ્રહથી સિદ્ધાંતગ્રંથોનો સાર લઈને ગોમ્મદસાર, ગ્રંથની રચના કરી છે, તેના જીવકાંડ અને કર્મકાંડ નામના બે મહા અધિકાર છે. એનું બીજું નામ પંચસંગ્રહ પણ છે. આ ગ્રંથ ઉપર કેટલીયે ટીકાઓ લખવામાં આવી છે. એમાં ચામુંડરાયે પોતે કર્ણાટકવૃત્તિ નામની ટીકા લખી છે. તે ઉપરાંત કેશવ વર્ણીની સંસ્કૃત ટીકા છે. એની સંસ્કૃત ટીકા અભયચંદ્ર સિદ્ધાંત-ચક્રવર્તીએ બનાવી છે જેનું નામ મંદપ્રબોધિની છે. આ જ ટીકાઓના આધારે ૫. ટોડરમલજીએ સમ્યજ્ઞાનચન્દ્રિકા નામની હિન્દી ટીકા બનાવી છે. આ પાઠ ગોમ્મસાર કર્મકાંડના આધારે લખવામાં આવ્યો છે. ૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40