Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેને દર્શનાવરણ કહે છે. જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું અને દર્શનાવરણ નવ પ્રકારનું છે. ચામુંડરાય- અને મોહનીય................? આચાર્ય નેમિચંદ્ર- જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને અન્યને પોતાનું માને અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને મોહનીય કર્મ કહે છે. એ બે પ્રકારનું છે : ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ આદિ ત્રણ ભેદ દર્શન મોહનીયના છે, ૨૫ કષાયો તે ચારિત્ર મોહનીયના ભેદ છે. ચામુંડરાય – હવે ઘાતી કર્મોમાં એક અંતરાય બાકી રહી ગયું? આચાર્ય નેમિચંદ્ર- જીવનાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિપ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને અંતરાય કર્મ કહે છે. એ પાંચ પ્રકારનું છે. ચામુંડરાય- હવે કૃપા કરીને અઘાતી કર્મો વિષે પણ ? આચાર્ય નેમિચંદ્ર- હા, હા, સાંભળો. જ્યારે આત્મા પોતે મોહભાવ વડે આકુળતા કરે છે ત્યારે અનુકૂળતા-પ્રતિકૂળતારૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને વેદનીય કર્મ કહે છે. એ શાતા વેદનીય અને અશાતા વેદનીયના ભેદથી બે પ્રકારે છે. જીવ પોતાની યોગ્યતાથી જ્યારે નારકી, તિર્યચ, મનુષ્ય અથવા દેવના શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને આયુષ્ય કર્મ કહે છે. એ પણ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય અને દેવાયુના ભેદથી ચાર પ્રકારે છે. તથા જે શરીરમાં જીવ હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને નામ કર્મ કહે છે. એ શુભ નામકર્મ અને અશુભ નામ-કર્મના ભેદથી બે પ્રકારનું છે. આમ તો તેની પ્રકૃતિ (ભેદ) ૯૩ છે. ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40