Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રભાકર- ‘બહિરાત્માપણું છોડવું જોઈએ ” એ તો ઠીક પણ........ યોગીન્દ્વદેવ- બહિરાત્મપણું છોડીને અંતરાત્મા બનવું જોઈએ. 66 પ્રભાકર જે જીવ ભેદવિજ્ઞાનના બળથી આત્માને દેહાદિથી ભિન્ન જ્ઞાન અને આનંદસ્વભાવી જાણે છે, માને છે અને અનુભવે છે, તે જ્ઞાની (સમ્યગ્દષ્ટિ ) આત્મા જ અંતરાત્મા છે. આત્મામાં જ આત્માપણું અર્થાત્ પોતાપણું માનવાને લીધે તથા આત્મા સિવાય બીજા કોઈમાં પણ પોતાપણાની માન્યતા છોડી દેવાને લીધે જ તે અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મા ત્રણ પ્રકારના છે : ૧. ઉત્તમ અંતરાત્મા ૨. મઘ્યમ અંતરાત્મા ૩. જઘન્ય અંતરાત્મા અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી ક્ષીણકષાયવાળા મુનિ (બારમા ગુણસ્થાનવર્તી ) ઉત્તમ અંતરાત્મા છે. અવિરત સમ્યગ્દષ્ટિ ( ચોથા ગુણસ્થાનવાળા) જઘન્ય અંતરાત્મા છે. ઉપરોક્ત બન્નેની વચ્ચેની દશાવાળા દેશવ્રતી શ્રાવક અને મુનિરાજ ( પાંચમાથી અગિયારમાં ગુણસ્થાનવર્તી મઘ્યમ અંતરાત્મા છે. પ્રભાકર અંતરાત્મા થવાથી શું લાભ છે? યોગીન્દ્વદેવ- એ જ અંતરાત્મા ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિ-અવસ્થા ધારણ કરીને, નિજ સ્વભાવ સાધન દ્વારા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા થઈ જાય છે અને એમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રકટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે એ જ અંતરાત્મા પોતાના પુરુષાર્થથી આગળ વધીને ૫રમાત્મા બને છે. પરમાત્મા થવાથી શું લાભ છે? ૧૦ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40