Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ બીજો આત્મા અને પરમાત્મા મુનિરાજ યોગીન્દુ (વ્યક્તિત્વ અને કર્તુત્વ) અપભ્રંશના મહાકવિ અધ્યાત્મવેત્તા યોગીન્દ્રદેવના જીવન વિષયમાં વિશેષ જાણકારી હજી સુધી મળી નથી. તેમના નામનો પણ કેટલાય (જુદા જુદા) પ્રકારે ઉલ્લેખ મળે છે, જેમ કે યોગીન્દુ, યોગીન્દ્ર. પણ અપભ્રંશના ખોફન્દુ નો સંસ્કૃત અનુવાદ યોગીન્દુ વધારે બંધબેસતો છે, યોગીન્દ્ર નહિ. યોગીન્દુના સમય વિષે પણ જુદા જુદા મત છે. એમનો સમય છઠ્ઠી શતાબ્દીથી માંડીને અગ્યારમી શતાબ્દી સુધી માનવામાં આવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા પરમાત્મપ્રકાશ (પરમપૂયાસુ) અને યોગસાર ( જોગસારુ ) જ તેમની કીર્તિના અક્ષય ભંડાર છે. ઉપરોક્ત ગ્રન્થોમાં તેમણે અધ્યાત્મનાં ગૂઢ તત્ત્વોને સહજ અને સરલ લોકભાષામાં જનતા સમક્ષ મૂક્યાં છે. તેમના ગ્રન્થો ઉપર શ્રી કુન્દકુન્દનો પ્રભાવ સ્પષ્ટ પણે પડ્યો હોય તેમ) જણાય છે. યોગીન્દુએ શ્રી કુન્દ્રકુન્દ પાસેથી ઘણું લીધું છે. શ્રી પૂજ્યપાદના સમાધિશતક' અને શ્રી યોગીન્દુના “પરમાત્મપ્રકાશ' માં પણ ઘનિષ્ટ સમાનતા દેખાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40