________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મા અને પરમાત્મા પ્રભાકર- હે ગુરુદેવ ! આત્મા અને પરમાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને
સમજાવો. કેમકે કાલે આપે કહ્યું હતું કે આ આત્મા પોતાનું સ્વરૂપ
ભૂલીન દુખી થઇ રહ્યો છે. યોગીન્દુદેવ- હે પ્રભાકર ભટ્ટ ! આત્માને સમજવાની ઇચ્છા તમારા જેવા મુમુક્ષુને
જ થાય છે. જેણે ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં જ પરમાત્મપદની પ્રાપ્તિ કરશે. આત્મજ્ઞાનના જેવું બીજું કાંઈ સાર (ઉત્કૃષ્ટ) નથી.
જ્ઞાન-સ્વભાવી જીવતત્ત્વને જ આત્મા કહે છે. અવસ્થાની અપેક્ષાએ તે ત્રણ પ્રકારનો છે :૧. બહિરાત્મા ૨. અંતરાત્મા
૩. પરમાત્મા પ્રભાકર- બહિરાત્મા કોને કહે છે? યોગીન્દુદેવ- શરીરને આત્મા માનનાર તથા અન્ય પદાર્થોમાં પોતાપણું અને
રાગાદિમાં હિતકરપણું માનનાર અથવા શરીર અને આત્માને એક માનનાર જીવ જ બહિરાત્મા છે. તે અજ્ઞાની (મિથ્યાષ્ટિ) છે.
આત્મા સિવાયના બીજા બાહ્ય પદાર્થોમાં આત્માપણું (પોતાપણું) માનવાને કારણે જ એ બહિરાત્મા કહેવાય છે. અનાદિકાળથી આ આત્મા શરીરની ઉત્પત્તિમાં જ પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં જ પોતાનો નાશ તથા શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતાના માની રહ્યો છે. જ્યાં સુધી આ ભૂલ ન નીકળે ત્યાં સુધી જીવ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com