Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જિનેન્દ્રદેવની સ્તુતિ કરતા પં. દોલતરામજી કહે છે કે- હે જિનેન્દ્રદેવ! આપ સમસ્ત જ્ઞયોના (લોકાલોકના) જ્ઞાતા હોવા છતાં પણ પોતાના આત્માના આનંદમાં લીન રહો છો. ચાર ઘાતી કર્મ જેનાં નિમિત્ત છે એવા મોહ-રાગ-દ્વેષ, અજ્ઞાન આદિ વિકારોથી રહિત છો-હે પ્રભુ! આપનો નિરંતર જય હો. ૧. આપ મોહ-રાગ-દ્વેષરૂપ અંધકારનો નાશ કરનાર વીતરાગી સૂર્ય છો. અનંત જ્ઞાન ધારણ કરનાર છો, તેથી પૂર્ણજ્ઞાની (સર્વજ્ઞ) છો તથા અનંત દર્શન, અને અનંત સુખ અને અનંત વીર્યથી પણ સુશોભિત છો, હે પ્રભુ! આપનો જય હો. ૨. આપની પરમ શાંત મુદ્રા ભવ્ય જીવોને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો હેતુ છે. હે પ્રભુ! આપનો જય હો ! ભવ્ય જીવોના ભાગ્યથી અને આપના વચનયોગથી આપની દિવ્યધ્વનિ થાય છે, તેનું શ્રવણ કરીને ભવ્ય જીવોનો ભ્રમ નાશ પામી જાય છે. ૩. આપના ગુણોનું ચિત્તવન કરવાની સ્વ અને પરનું ભેદવિજ્ઞાન થઈ જાય છે અને મિથ્યાત્વ દશામાં થનારી અનેક આપત્તિઓ ( વિકારો) નાશ પામી જાય છે. આપ સમસ્ત દોષોથી રહિત છો, સર્વ વિકલ્પોથી મુક્ત છો, સર્વ પ્રકારનો મહિમા ધારણ કરનાર જગતના ભૂષણ (જગતને સુશોભિત કરનાર) છો. ૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40