Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 242
________________ ( ૧૮ ) વિશ્વરચના પ્રબંધ. છે. તેઓને વાંસાની કોડમાં ૨૫૬ પાંસળીઓ હોય છે, તેઓને સુંધા બહુ જ ઓછી હોય છે, તે કાળે જન્મેલ બાળકને માત્ર ૪૯ દિવસ સાર-સંભાળ કરવી પડે છે. ત્યાર પછી ત્રણ કેટાકેદી સાગરોપમ પ્રમાણુવાળે સુષમ નામે બીજે આરે હોય છે. આ આરામાં પણ મનુષ્યો યુગલિકરૂપે જ છે, રડે છે અને મૃત્યુ પામે છે, તેમના દેહનું માપ ૨ ગાઉ અને આયુષ્ય ૨ પલ્યોપમ હોય છે, તેઓને પણ ક્ષુધા ઓછી હોય છે, તેઓનાં હાડ પણ બહુ મજબુત હોય છે, વાંસામાં ૧૨૮ પાંસળીઓ હોય છે, તેઓ ૬૪ દિવસ સુધી જ સંતાનપાલનની કાળજી રાખે છે. ક્રમે દરેક રીતે હાનિ પામતાં બે કટાકેટી સાગરેપમપ્રમાણુ ત્રીજે રે થાય છે. તે કાળમાં આરંભમાં મનુષ્ય ૧ ગાઉના ને ૧ પલ્યોપમ વર્ષ આયુષ્યવાળા હોય છે. તેઓને વાંસામાં માત્ર ૬૪ પાંસળીઓ હોય છે, આહારે નિત્ય અ૯પપ્રમાણમાં ચે છે, ને ૭૯ દિવસ સુધી સંતાનપાલન કરે છે. પણ આ આરાને ત્રીજો ભાગ બાકી રહેતાં નીતિનાં બંધને શિથિલ થાય છે, કુસંપ આદિ પણ વધે છે, જેથી તે સર્વને મર્યાદામાં રાખનાર કુલકર વિગેરેની સ્થાપના થાય છે, તેમજ દંડ વિગેરે મુકરર કરવામાં આવે છે. આ ચાલુ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતમાં નીચે પ્રમાણે કુલકર થયા છે. વિમલવાહન, ચક્ષુમાન , યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજીત, મરૂદેવ, નાભિ, એમ ઉત્તરોત્તર ૭ કુલકર થયા હતા. આ અરસામાં મનુષ્ય ઘણુજ સરલ હતાં, તેથી તેઓમાં વિવાદ થતો નહીં. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યા, અને પરસ્પર વિવાદ કરવા લાગ્યા, તેથી પહેલા અને બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઇ. તે વખતે મનુષ્ય સરલ હૃદયના હોવાથી હું શબ્દ બોલતાંજ અનીતિથી અટકતા હતા, ક્રમે એ શબ્દ ઘરગથ્થુ થઈ જવાથી ત્રીજા અને ચોથા કુલકરના વખતમાં થડે અપરાધ થતાં હકારરૂપે દંડનીતિ અને માટે અપરાધ થતાં મકારરૂપ દંડ.. નીતિ થઈ ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાળ આવ્યા, લેકેનાં હૃદયની સરળતા ઘટતી ગઈ, અને મા શબ્દને બેજ, પણ એ પડવા લાગ્યો, તેથી પાંચમાં છઠ્ઠા અને સાતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272