Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ [૧૧] યત્ર-આધારિત છેષક અર્થવ્યવસ્થા ૦ ભારતમાં મકાન બાંધવાની કળા ૦ સિમેન્ટ અને સ્ટીલનાં મકાને કેટલાં વર્ષ ટકશે? ૦ મકાનની તંગી પૂરી થશે ખરી? - ભારતમાં મકાન બાંધવાની કળા ભારતમાં છેક વેદકાળથી મકાન બાંધવાની કળા વિકસી છે. આર્યો પાંચ પ્રકારનાં મકાને બાંધતા એ ઉલ્લેખ મળે છે. તેઓઃ (૧) પથ્થરનાં (૨) ઈટોનાં (૩) લાકડાનાં (૪) ગારમાટીનાં અને (૫) પર્ણકુટી– ઝાડનાં પાનનાં મકાને બાંધતા. આ મકાને કોઈ પણ પ્રકાર એ. નથી, જે આપણાં દેશમાં બાંધી ન શકાય, અથવા તે એ બાંધવાનાં સાધને ઉપલબ્ધ ન હોય. કઈ સ્થિતિના માણસોએ કયા પ્રકારનાં મકાને બાંધવાં, મકાને બાંધવા માટેના સ્થળની પસંદગી અને શિલ્પકળા વિષે અનેક પુસ્તક લખાયાં હતાં. - દરેક માણસ પિતાના જીવનકાળ દરમિયાન નવું મકાન બાંધી શકતું નથી. નવાં મકાને બાંધે એવા ભાગ્યશાળી બહુ ઓછા હોય છે. દક્ષિણ ભારતમાં લગ્ન કરતાં પણ મકાનના વાસ્તુનું મહત્વ વધારે છે, કારણ કે દરેક મનુષ્યના જીવન દરમિયાન ઘરમાં લગ્ન-પ્રસંગે તે ઘણા આવે છે, પણું નવું મકાન બાંધવાને પ્રસંગ તે ત્રણ-ચાર કે તેથી પણ વધારે પેઢી સુધી આવતું નથી. કોઈક જ ભાગ્યશાળી પિતાનું નવું મકાન બાંધે છે અને પછી તેના વંશજો ચાર-પાંચ કે છ પેઢી સુધી તેનો ઉપયોગ કરે છે. મકાન ૧૦૦ થી ૩૦૦ વરસ કે તેથી પણ વધુ સમય સુધી ચાલે તેવું મજબૂત હેવું જોઈએ. આપણું દેશમાં મકાન બાંધવાની પ્રથા ગામડાઓમાં અને ભા. ૨-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 274