Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 66
________________ ઉદ્ય શેઠ ક્યુ : ‘તમારી વાત સાચી, અહીં આવી હું સુખી થયો છું. બાકી આ ધન તમારું છે. તમારે લેવાનું છે.’ લાછી હે : ‘મેં તો જમીન તમને વેચી દીધી. હવે જે મળે તે તમારું’ ઉધ શેઠ હે : ‘જમીન મારી. સો ટચની વાત. પણ જમીનમાં જે હોય તેના માલિક તમે.' લાછી હે : ‘એ ન બને. જમીન તમારી અને ધન પણ તમારું' ન ઉઘ શેઠ ક્યુ : ‘મારા માટે એ ધન અણહકનું ગણાય, મને ન ખપે. તમારે લેવું પડશે.’ લાછી હે : ‘હું તો એને હાથ પણ નહિ અડાડું.’ વાત આગળ વધી. આ વાત સાંભળીને પડોસીઓ આવ્યાં, પણ તેઓય કંઈ નિવેડો લાવી ન શક્યાં. બેમાંથી એકે ણ ધનનું માલિક થવા તૈયાર ન થયું. આશ્ચર્ય તો જુઓ ! જગતમાં ધન લેવાના ઝઘડા ચાલે છે, ત્યારે અહીં તો ધન ત્યાગવાના ઝઘડા જાગ્યા ! જૂની આંખે સહુને નવા તમાશા જોવા મળ્યા. ઝઘડો મહાજન પાસે ગયો. મહાજન પણ આમાં કંઈ કરી ન શક્યું. બેમાંથી એકે જણ ધન લેવા તૈયાર ન થાય, પછી વાત કરવાની શી ! આ વખતે ઉદ્યએ ક્યું : ‘જે ધનની માલિકી વિષે ઝઘડો પડે, એ ધન રાજનું. માટે રાજ પાસે ચાલો.’ બંને જણાં રાજદરબારે ગયાં. રાજા કરણદેવ સિંહાસને બેઠા છે. પડખે રાણી મિનળદેવી બેઠાં છે. રૂપ ને વૈભવ ઇંદ્ર-ઇંદ્રાણીનાં છે. ઉદાએ દરબારમાં હાજર થઈને વિનંતી કરી. ‘રાજાજી ! રાજાજી ! ન્યાય કરો, લાછીબહેનની આ જમીન છે. એ જમીન મેં ખરીદી છે. જમીનમાંથી ધનનો ચરુ નીક્ળ્યો છે. ચરુ લાછીબહેનનો છે. આપું છું પણ લેતાં નથી.' લાછી બે હાથ જોડી આપું ઓઢણું ઓઢી બોલી : Jain Education International For Private & Personal Use Only ઉદયન વિહાર * ૫૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138