Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 122
________________ થોડી વારમાં, બિલકુલ ચૂપચાપ. લિંગરાજ મુરઘો બની ગયો. એ મુરઘાને ઘસડીને એક ઓરડીમાં પૂરી દિધો. બીજી પળે, જાણે કંઈ બન્યું નથી તેમ સેના ઊપડી. હથી હંકાયા. ઘોડા ઘેરાયા. લડાઈનું રણશિંગું ગાજી રહ્યું. રાજતાથી લહ-પંચાનન પર નવો મહાવત હતો. નામ એનું શામળ ! હાથીના હોદા પર મહારાજ કુમારપાળ હતા. એમની ચકેર આંખ ચારે તરફ ફરી રહી હતી. આજની લડાઈ પારકું કરતાં પોતાનાં સાથે વિશેષ હતી. કુમારપાળ રાજા ન થાય, એમ ચાહનારા બધા એઠા મળ્યા હતા. એકઠા મળીને જુદ્ધ જમાવ્યું હતું. સાંભરરાજ એ સહુની મદદે હતો. લડાઈ કટોક્ટીની હતી. આજ કુમારપાળની અને એના સાચા મદદગારોની ક્સોટી હતી. શત્રુ અને મિત્ર આજ ખુલ્લા પડવાના હતા. લશ્કરમાં કંઈક ક્યાંક બેદિલી હતી. લડાઈ લડાવી જોઈએ, એ રીતે લડાતી જ નહોતી. ” બ્રેઈ તન-મનથી લડતા હતા. ઈ માત્ર તનથી લડતા હતા, મનથી નહિ. ઈ લડતા જ નહોતા. લડાઈનો તમાશો જોવા આવ્યા હોય તેમ વર્તતા હતા. - કુમારપાળ બાહોશ અને બહાદુર યોદ્ધો હતો. જીવનમાં કસોટીઓ અને કટોકટીઓ જોતો આવ્યો હતો. એણે પોતાની જાતને આગળ કરી. તથી લહ-પંચાનનને હાંક્યો. પણ હાથી આગળ વધવાને બદલે પાછો પડવા લાગ્યો. એ હાથી પાછો પડે, એટલે પાછળની હાથી સેના પણ પાછી ફરે. અને ભૂત જાગ્યાં ને ભાગ્યા ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138