Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 118
________________ એના પગમાં, હાથીનું જોશ હતું, એ સિંહના પુરુષ હતો. એવો સિંહનાદ કરતો કે એ સાંભળી ભલભલો હાથી પણ પૂંછડી દબાવી પાછો ભાગે. એ ત્યાગ ભટ્ટને* કુમારપાળ રાજા થયો, એ ન ગમ્યું, એ પાટણ છોડી ચાલ્યો ગયો. જઈને મળ્યો સાંભરના રાજા અર્ણોરાજને !” આ બે ભૂતે બીજાં અનેક ભૂત એકઠાં ક્ય. પણ દુનિયામાં બહારનાં ભૂત કરતાં અંદરના ભૂતથી વધુ ડરવા જેવું હોય છે. પેટમાં પેસી એ પગ પહોળા કરે. ત્યાગ ભટ્ટે પાટણની સેનાને ફોડવા માંડી. રાજાના મહેલના કર્મચારીઓને ફોડ્યા. રાજાનો લડાઈનો હાથી હતો, એનું નામ ક્લહ-પંચાનન હતું. એ જે યુદ્ધમાં ઊતરે, એમાં વિજય મળે જ. ક્લહ-પંચાનનનો મહાવત લિંગરાજ હતો. મહારાજા સિદ્ધરાજ પણ એના ખોળે માથું મૂકને નિરાંતે સૂતા. હાથી તો એના ઇશારા પર દોડે. ' લડાઈનાં રણશિંગા ફુકાયાં. બધી તૈયારીઓ થવા માંડી. હાથીસેના પણ સજ્જ થવા માંડી. મહામંત્રી ઉદયનની ચોર આંખ આ વખતે ચારે તરફ ફરતી હતી. એક રાત્રે હાથીશાળામાં મેઈની અવરજવર જોઈ, એમને વહેમ ગયો. કલિંગરાજની સાથે સવાલ-જવાબ કરવા માંડ્યા. હાથીખાનામાં આટલી રાતે કોણ આવ્યું હતું ? “અમારે સગાંવહાલાં નહિ હોય કેમ ?” અમારું નખ્ખોદ નીકળી ગયું નથી, મંત્રીરાજ.' હાથીના ઉપરી મહાવતે શું. ઉદા મહેતાએ કહ્યું : “ભલા માણસ ! આવા નાખી દેવા જેવા જવાબ કેમ આપે છે ?' * ત્યાગ ભટ્ટનું બીજું નામ ચાહડ-ચારુ ભટ્ટ પણ હતું. ભૂત જાગ્યાં ને ભાગ્યા જ ૧૦૩ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138