Book Title: Trishashti Shalaka Purush Charitram
Author(s): Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 199
________________ १७० ૮૫. ૮૬. त्रिषष्टिशलाकापुरुषचरित्रम् એ પ્રમાણે તેર ભવવાળું ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને ભરતચક્રીનું નાની કથાઓથી પ્રસિદ્ધ અને સુગમ ચરિત્રને મૃતિને માટે વિમલસૂરિજીએ ઉદ્ધત કર્યું છે. આ (અજિતનાથરૂપી અનેકપ = હાથી) નિરંતર દાન (ભાવધર્મનું દાન) આપે છે (સામાન્ય હાથીનું દાન = મદ હંમેશા નથી ઝરતો), એમની ગતિ (મોક્ષગતિ) નમન કરવા યોગ્ય છે. (હાથીની ગતિ ચાલ સારી પણ નમન કરવા યોગ્ય નથી), જગત આખાના પ્રતિકારકો = શત્રુઓનો વિષય તેઓ બનતા નથી (હાથીઓ તો સિંહ વગેરે શત્રુઓનો વિષય બને છે), આવું જાણીને લાંછનના બહાને હાથીઓનો સમૂહ જેમને આશ્રયીને રહ્યો છે તેવા અજિતનાથ રૂપી અનેકપનો (અનેકોનું રક્ષણ કરનારનો) હે સપુરુષો તમે આશ્રય કરો. સરોવરમાં સુંદર જલકેલિનું સુખ નથી, સમુદ્રકિનારાના વનમાં ક્રીડા નથી, આકાશમાં પાંખ ફેલાવી ઉડવાનો રસ નથી, માળાના આશ્રયવાળી ક્રીડા નથી, પ્રિયા સાથે સમાગમ નથી, બંધુઓની સાથે સંગમ નથી, થોડી જગ્યાવાળા પાંજરામાં પિડિત શરીરવાળા આ રાજપોપટના કષ્ટને શું કહેવાય ? ઘણી શ્રદ્ધાથી વિશુદ્ધ આત્માવાળા જેના વડે જિનેશ્વર ભગવાનને દાન અપાયું હોય, આ પુરુષનું તે જ ભવમાં મોક્ષમાં ગમન થાય છે અથવા ત્રીજે ભવે થાય છે, જિનને અપાતા દાનને જોનારા બીજા પણ લોકો નિરોગી થાય છે અને આ સઘળી ભૂમિ ઉપર ક્ષુદ્ર ઉપદ્રવો ક્ષણમાં નાશ પામે છે. વિષયવાસનામાં ડુબેલા પ્રાણીઓના અસંખ્ય દિવસો જાય છે, પરંતુ તે ક્યારેય વિચારતો નથી કે આ બધું ધર્મનું ફળ ભોગવું છું. હું વિષયોથી અટકીને નવો ધર્મ કરતો નથી, જેથી આગળ હું સુખી થાઉં, બીજાનું પણ દુઃખ ન જોઉં, નીચેની ગતિમાં પણ ન જાઉં. (આવું પોતે વિચારતો નથી) ૮૮. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234