Book Title: Trishashti Shalaka Purush Charitram
Author(s): Jineshchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 215
________________ १८६ त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૧૮૨. નિત્યસ્વરૂપી જળને સુકાવવામાં મરૂભૂમિ, સુખરૂપી પર્વતને છેદવામાં વજ, વૈરરૂપી કંદને વિકસાવવામાં વાદળ, ખેદરૂપી સમુદ્ર, પરાભવરૂપી વૃક્ષને વિકસાવવામાં વસંતઋતુનું આગમન, કલ્યાણના કારણરૂપ વિંધ્ય પર્વતના ઉલ્લાસને અટકાવનાર એક કુંભોદ્ધવમુનિ; શંકરની જેમ આ ભવ (સંસાર) કોનો સંહાર કરવા સમર્થ નથી? તેથી જાગ્રત થાઓ. ૧૮૩. સ્વામિનો આદેશ સુંદર હોય કે ખરાબ વિચાર્યા વગર સેવકો વડે તે બધો આદેશ) કરવો જોઈએ; જો તે આદેશ ક્યારેક નસીબથી સુંદર હોય તો કેવલ ભાગ્ય જાગરૂક થયેલું છે. ૧૮૪. જેનું પ્રક્વલન થયે છતે શરૂઆતમાં ધૂમાડો નથી અને અંતે રાખ નથી તે આ આખા અંગને લક્ષ્ય કરનાર વિરહાગ્નિ મને બાળે છે. ૧૮૫. અતિપ્રકાશમાન શ્રી શાંતિનાથ ભગવાનના સુંદર ચરિત્રરૂપી મણીરૂપ દીવો જેના હૃદયરૂપી ગૃહમાં પ્રકાશે છે તેના દર્શનનો પ્રસાર પામતો મહિમા ક્યારેય પણ મોહરૂપી મોટા અંધકાર વડે ખરેખર લોપાતો નથી. ૧૮૬. કંદર્પના દર્પને હરણ કરવામાં અગ્રેસર શરીર, દાન અને ભોગથી સુભગ એવી લક્ષ્મી, ઈન્દ્રને પૂજય એવું મનુષ્યપદ, જેમને પ્રયત્ન વગર નમસ્કાર થાય તેમનો આ બધો પ્રભાવ જીવોને વિષે ફેલાય છે તે કુંથુજિન તમારું રક્ષણ કરે. ૧૮૭. વારંવાર દોષોને કહેવા માટે પોતાની પરિચિત જીભ છે, હાથ ઉંચા કરવા તે બીજા શ્રેષ્ઠિઓના અભિવાદન કરવા માટે છે, પ્રજ્ઞા અજ્ઞાનીઓના પરાભવ કરવા માટે જ છે અને પોતાનો જન્મ પણ પાપના આરંભને માટે જ વહન કરે છે; ખરેખર જે મૂર્તિમાન પાપ છે તે જ મનુષ્ય જન્મ છે. ૧૮૮. અનાદિભવથી થયેલી આ વિષયવાસના કેવી છે, તથા ઈન્દ્રિયો વડે ગાઢ રીતે આત્માની સાથે કેવી રીતે જોડેલી છે? જેમ રાત્રીમાં નિદ્રા વડે ઈન્દ્રિયોના વ્યાપારો હણાયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234