Book Title: Tithi Ange Satya ane Samadhan Part 2 Author(s): Abhayshekharsuri Publisher: Kantilal Chhaganlal Shah Mumbai View full book textPage 5
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત્-જયશેખરસૂરીશેભ્યો નમઃ ઐ નમઃ તિથિ અંગે સત્ય અને સમાધાન-ભા-૨ શ્રી સંઘે ઠેરવેલા એક દિવસે બધાએ આરાધના કરવી. .આ તિથિનું અંગેનું ભાવસત્ય છે...આવી તા૨વણી શાસ્ત્રપાઠ અને પૂર્વાચાર્યના સંદર્ભો વગેરે પરથી મેં "તિથિ અંગે સત્ય અને સમાધાન" નામની પુસ્તિકામાં રજુ કરેલી છે..મારી આ રજુઆતનો વિરોધ કરવા પ્રકાશિત થયેલ સાહિત્ય અંગે કંઇક વિચારણા આ પુસ્તિકામાં રજુ કરું છું. પ્રશ્ન : પ્રભાવક જિનવાણી માસિકનાં પાંચમા વર્ષના ૧૦માં અંકમાં (જુન-૨૦૦૫) ‘તિથિ અંગે સત્ય અને સમાધાન' આ નામની તમારી પુસ્તિકા અંગે, ‘જિજ્ઞાસા અને તૃપ્તિ’ વિભાગમાં બે તિથિ (નવા)પક્ષે જિજ્ઞાસા (પ્રશ્ન) ઊઠાવીને તૃપ્તિ (ઉત્તર) આપેલ છે. તો આ અંગે તમારું શું મંતવ્ય છે ? ઉત્તર : એ ‘જિજ્ઞાસા અને તૃપ્તિ' વિભાગનું લખાણ પૂર્ણ થયું છે ત્યાં નીચે કૌંસમાં (-સં.) એમ લખેલ છે. એટલે જણાય છે કે આ લખાણ સંપાદક તરફથી પ્રકાશિત થયેલ છે. હવે એના લેખક પણ સંપાદક જ છે કે કોઇ મહાત્મા છે? એ વિચારવાનું રહે છે. જો સંપાદક જ લેખક હોય તો નીચેની બે વાતો સાબિત થાય કે નહીં એ તમારે વિચારી લેવું જોઇએ. (૧) નવા પક્ષમાં તિથિના ભાવસત્યની રક્ષા Jain Education International [ ૧ ] For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40