Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 207
________________ એક વખત ચતુર્વિધ જ્ઞાનધારી મુનિ વસુંધર એક ઉધાનમાં પધાર્યા. વિક્રમધન રાજા, રાણી ધારિણી વગેરે સપરિવાર તે ઉદ્યાનમાં મુનિ ભગવંતની વાણી સાંભળવા આવ્યા. સૌ ધ્યાનપૂર્વક તે વાણીના રસનું પાન કરી રહ્યા હતા. દેશના પૂરી થઈ ત્યારે વિક્રમધન રાજાએ મુનિ ભગવંતને ધારિણીરાણીને ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે આમ્રવૃક્ષ અને તેને નવ વખત રોપવાના સ્વપ્ન વિષે પૂછ્યું. આ સાંભળીને મુનિરાજે કહ્યું, ''હે મહારાજા ! આ તમારો પુત્ર ધનકુમાર આ ભવથી માંડી ઉત્તરોત્તર નવ ભવ કરશે અને નવમાં ભવમાં આ ભરતક્ષેત્રના યદુવંશમાં બાવીસમાં તીર્થંકર થશે." મુનિ ભગવંતના આ વચનો સાંભળી રાજા અને રાણી પોતાની જાતને ધન્ય માની અત્યંત ખુશી અનુભવવા લાગ્યા. ધનકુમાર પણ ધનવતી સાથે આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. ધનવતી અત્યંત પ્રેમાળ હતા. તે ધનકુમારના સહવાસથી ખુશ થઈ વિવિધ ક્રિડાઓ દ્વારા ધનકુમારને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. એક વખત ધનવતીને લઈ ધનકુમાર સરોવર પર ક્રિડા કરવા ગયા. બન્ને આનંદથી સમય નિર્ગમન કરવા લાગ્યા. આ સમયે અશોકવૃક્ષની નીચે એક મુનિ મુર્છા ખાઈને પડયા હતા. તે મુનિ ભગવંતના હોઠ તરસથી સુકાતા હતા. પર્ગમાં પડેલા ચિરામાંથી લોહી નિકળતું હતું. આ જોઈ ધનવતી વિચારમાં પડી ગયા. તેણે આ દશ્ય ધનકુમારને બતાવ્યું. એ જોઈને ધનકુમાર પૂર્વકર્મનું આ ફળ હશે એમ વિચારવા લાગ્યા. તરત તે સાધુ ભગવંત પાસે ગયા. તેમની ભાવ-ભક્તિપૂર્વક સેવા કરી. જ્યારે મુનિ ભગવંત બરાબર સ્વસ્થ થયા પછી તેમને ધનકુમારે આ થયાનું કારણ પૂછ્યું. કે મુનિભગવંતને જણાવ્યું કે સમુદાય સાથે વિહાર કરતા તે સમુદાયથી તે પોતે છૂટા પડી ગયા. તેમણે તેઓને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ન મળ્યા. આ પછી અત્યંત ભૂખ-તરસથી પીડાતા તેની આ સ્થિતિ થઈ હતી. આ પછી મુનિ ભગવંતે આ સંસાર પણ મૂર્છા થઈ આવે એવો ત્રાસજનક છે માટે ધર્મપૂર્વક આરાધના કરવી એવો ઉપદેશ આપ્યો. આ સાંભળી ધનકુમાર અને ધનવતી બન્નેએ સમ્યક્તપ્રધાન ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. એક વખત ફરીથી વસુંધર મુનિ તે નગરના ઉધાનમાં પધાર્યા. ધનકુમાર અને ધનવતી તેમને વંદન કરવા ગયા. સંસારની ક્ષણભંગૂરતા વિષેની દેશના તેમણે સાંભળી તેથી સંસારથી ઉદ્વેગ પામી બન્નેએ શુભ દિવસે દીક્ષા લીધી. ધનકુમારે તેના પુત્ર જયંતને રાજ્યની જવાબદારી સોંપી. આ પછી સાધુપણામાં બન્નેએ ઉચ્ચ આરાધના કરી,અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે તેઓ મૃત્યુ પામ્યા. આ રીતે પ્રથમ ભવે પૂણ્યકર્મનું ઉપાર્જન કરી ધનકુમાર અને ધનવતીએ આયુષ્ય પૂર્ણ કર્યું. ) ભવ બાજો પૂર્વ કર્મ અનુસાર જીવનું પરિભ્રમણ નિશ્ચિત થાય છે. જીવનું ચાર ગતિમાં થતું પરિભ્રમણ કર્મોને આધિન Jain Education International 128➖➖ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316