Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 16
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ તમે લખાવે છે કંઈ અને આ ભાઈ લખે છે કંઈક બીજું જ. પંડિતજીને પિત્તો ગયે. તેમણે તે પ્રથમ વર્ગમાં આવવાની તૈયારી કરેલી અને લેખકને પૂરતા પૈસા આપેલા. આમ છતાં કલેજે યેગ્ય લેખક કેમ ન રાખે તે પૂછવા કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ વેનિસસાહેબ પાસે પહોંચી ગયા. આ અંગ્રેજ પ્રિન્સિપાલ અને પંડિતજી વચ્ચે આ સંવાદ થયે : પંડિતજીએ સંસ્કૃતમાં જ આવેશપૂર્વક પૂછ્યું: આ અણઘડ લેખક મારી પૂર્ણ તૈયારીને નિષ્ફળ કરશે તેને દેષ કોના માથે ?” વેનિસસાહેબ: “કાલથી તમારી પરીક્ષા મૌખિક.” જે પ્રશ્નપત્ર ગયા તેનું શું ? “તમારા બધા જ પ્રશ્નપત્રોની ફરીથી મૌખિક પરીક્ષા લેવાશે.”વેનિસસાહેબે જવાબ આપે. ભારતીય ફિલસૂફીના પંડિતે પંડિતજીની મૌખિક પરીક્ષા લેવા બેઠા. આ સમયે વેનિસસાહેબ પણ હાજર રહ્યા. પરીક્ષા પૂરી થઈ પંડિતએ સર્વાનુમતે તેમને પ્રથમ વર્ગમાં જાહેર ર્યા. પંડિતજીએ લખ્યું છે કે પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા તેમાં તેમને પિતાને કોઈ આશ્ચર્ય થયું નહીં. આશ્ચર્ય તેમને એ વાતનું થયું કે મેટા પંડિત તેમના પ્રત્યે આકર્ષાયા. એમાંના એક નયાયિક પંડિત વામાચરણ ભટ્ટાચાર્યો તે પરીક્ષા પછી ત્યાં સુધી કહ્યું : “તમે મારા ઘેર ભણવા આવજે.” પંડિતજી માટે વિદ્યાનું મહાદ્વાર ખૂલી ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36