Book Title: Sukhlalji Sanghavi Parichaya
Author(s): Vadilal Dagali
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 27
________________ પંડિત સુખલાલજી ૨૫ પતિજીએ ભારતના અને દુનિયાના ધર્માંની તુલના કરી એવે સાર કાઢચી કે ધર્મ એટલે “જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને સર્વાંગીણ સ્વચ્છતા તેમ જ સામંજસ્યપૂર્ણ ખળ આણુવું એ જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીનકાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે.” તે ધર્મનું નામ સુખ ઉપજાવનારું કેમ થઈ પડ્યું છે ? તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાઓમાં કેમ ખપવા લાગ્યું છે? પંડિતજીએ કહ્યું : “એના ઉત્તર ધર્મગુરુ, ધર્મશિક્ષણ અને ધર્મસંસ્થાઓની જડતા તેમજ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. ધર્મ કે તત્ત્વજ્ઞાન પાતે તેા જીવનની સર્વવ્યાપી સૌરભ છે, એમાંથી આવતી દુર્ગંધ એ તેના દાંભિક ઠેકેદારાને લીધે છે. જેમ કાચું અન્ન અજીણુ કરે અને વાસી કે સડેલું અન્ન દુર્ગંધ ફેંકે તેથી ભેાજનમાત્ર ત્યાજ્ય અનતું નથી અને જેમ તાજા અને પાષક અન્ન વિના જીવન ચાલતું જ નથી, તેમ જતાપાષક ધર્મનું કલેવર ત્યા છતાં સાચી સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સરજાતી કે નથી ટકતી.” પંડિતજીએ એમ વારંવાર સમજાવ્યું કે ગાંધીજીનું જીવન અને વિચાર ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36