Book Title: Shubh Sangraha Part 07
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 610
________________ સ્ત્રીજીવન વિષે સ્વામી વિવેકાનંદનાં વીસ સૂત્રા ૫૯૭ આપણેા હિંદુ સ્ત્રીવર્ગ વિશુદ્ધિ, પવિત્રતા એટલે શું એ સહેલાઈથી સમજી શકે છે; કારણ કે એ તે તેમનેા મહામૂલે વારસે છે. પ્રથમ તે એ આદનેજ તેમનામાં સવથી વિશેષ મૂઢ અનાવા, જેથી તેમનુ' ચારિત્ર્ય દઢ બને. આ ચારિત્રને મળે જીવનની દરેક અવસ્થામાં–પરિણિત જીવનમાં અથવા તે આજીવન કુમારી રહેવા માગે તે તે અવસ્થામાં-પેાતાની વિશુદ્ધિથી જરા પણ ડગવા કરતાં તેઓ મૃત્યુને વધાવી લેશે. ૮–પેાતાના જીવનમાં ઉભી થતી દરેક 'ચ ઉકેલી શકે એવી સ્થિતિમાં આપણે સ્ત્રીજાતિને મૂકવી જોઈએ. ૯–આપણી માતૃભૂમિના કલ્યાણને માટે તેનાં કેટલાંક માલકેએ આવું નિર્માંળ બ્રહ્મચારી વ્રત સ્વીકારવુ જોઇએ. . ૧૦-આ યુગની જરૂરીઆતના વિચાર કરતાં એ ખાસ આવશ્યક લાગે છે કે, તે ખાલકામાંથી કેટલાંકને વૈરાગ્ય-ત્યાગના પુણ્ય પ્રભાવી આદર્શમાં પલેટવા જોઇએ, જેથી તેએ અતિપ્રાચીન કાળથી તેમનામાં સુદૃઢ જડાઇ ગયેલી વિશુદ્ધિથી ખલાન્વિત થઈ આજીવન કૌમારવ્રતની દીક્ષા ગ્રહણ કરે. ૧૧–સાથે સાથે બીજા શાસ્રા અને પરીપકારક અન્ય ઉપચેગી માખતા પણ તેમને શીખવવી જોઇએ. ૧૨-ઇતિહાસ અને પુરાણ, ગૃહવ્યવસ્થા અને કલા, ગૃહસ્થજીવનની જો અને આદશ ચારિત્ર્ય ઘડનાર નીતિસૂત્રેા–એ બધું અર્વાચીન વિજ્ઞાનની મદદથી તેમને શીખવવાનું છે; અને તેમને નૈતિક તથા આધ્યાત્મિક જીવનની કેળવણી પણ જરૂર આપવી જોઈએ. યથાયેાગ્ય ગૃહિણી તરીકે દીપી નીકળે એ આપણું લખિંદુ હોવુ જોઈએ. ૧૩–કન્યાશાળાઓમાં સર્વ પ્રકારના શિક્ષણનું કામ સુશિક્ષિત વિધવાઓ તથા બ્રહ્મચારિણીઓ દ્વારા ચાલવું જોઇએ, આ દેશમાં સ્ત્રીકેળવણીની સસ્થાએ સાથે પુરુષવના સંસર્ગ ન હાય એ ઇચ્છવા ચેાગ્ય છે. ૧૪-ધમ, કલા, વિજ્ઞાન, ગૃહવ્યવસ્થા, રસેાઇ, સીવણ અને આરાગ્યશાસ્ત્ર-આ બધાંના પ્રધાન મુદ્દે આપણા સ્રોવગ ને શીખવવા જોઈએ. તેઓ નવલકથાએ, કલ્પિત વાર્તાઓ વાંચે એ ઇષ્ટ નથી. તે સાથે એ પણ ખર્' કે, માત્ર દેવદેવીઓની પૂજનવિધિ શીખવવી એ પણ કેળવણી નથી. દરેક વિષયમાં તેમની કેળવણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640