________________
૧૧૪
શુભસંગ્રહું-ભાગ ૭ મા
१२८ - आग्रानो दयालबाग
ગ
Twi
[લખનારઃ શ્રીમતી સ્નેહલતા પતિ.]
આગ્રાની પાસે રાધાસ્વામી સંપ્રદાયના અનુયાયીઓએ દયાલબાગ નામનુ એક ઉપનગર વસાવેલુ છે. ઇ. સ. ૧૯૨૮ સુધીના વૃત્તાંત જોયા પછી વાચકને સહેજે ત્યાંના કા કર્તાએ પ્રત્યે માન ઉત્પન્ન થઇ શકે તેમ છે.
ઇ. સ. ૧૯૧૫ના જાન્યુઆરી માસમાંજ રાધાસ્વામી સંપ્રદાયના સંસ્થાપકની સમાધિ પાસે ૪ એકર જમીન ખરીદી કામ શરૂ કરવામાં આવેલું. આજે છેલ્લાં ૧૫ વરસમાં ત્યાં અદ્ભુત કા થયેલુ જોઇ શકાય છે. ૪ એકર જમીન વધીને ૫૦૦ એકર થઇ છે. ત્યાં ત્રણ નાનાં નાનાં નગરે વસાવવામાં આવેલાં છે. ત્રણે નગરમાં વસતાં સ્ત્રીપુરુષોની સંખ્યા ૨૦૦૦ ની છે. શરૂઆતમાં એ સંપ્રદાયના અનુયાયીએએ રૂ।. ૫૦૦૦ આપેલા. પંદર વરસની ટુક મુદતમાં સંચાલકાએ આ નગરાની ખીલવણીમાં રૂ. ૨૦ લાખ ખર્ચ્યા છે. વીસ લાખની રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ છે તેમા ઇતિહાસ પણ મને રંજક છે. શરૂઆતમાં ત્રણ નાનાં નગરા વસાવવામાં આવ્યાં. એ નગરેસનાં નામેા સ્વામીનગર, શ્વેતનગર અને પ્રેમનગર છે. નગરા માટે વીજળી અને પાણીનાં કારખાનાં છે. લેટ દળવાની અને તેલ કાઢવાની સ્વતંત્ર મીલેા પણ છે. નગરાની આસપાસ ઝાડપાન ફળફૂલ પણ મેાટા જથામાં ઉછેરવામાં આવે છે. ખીજી સગવડેામાં અહીં એક એક પણ છે. તાજા દૂધ, દહીં, માખણ મળી શકે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ પર ઉધાડેલી ગૌશાળાએ છે. અહીંના ડેરી ફાર્મનાં વખાણ વિદેશી ડેરી કાના કા કર્તાએ કરી ગયા છે. અહીંથી નીપજતાં દૂધ, માખણ અને ઘી બજારેમાં વેચાય છે. તેની પવિત્રતા માટે લેાકેામાં ભારે વિશ્વાસ છે. ખેતરામાં શાકભાજી વગેરે અધુ ઉત્પન્ન થાય છે, અને રહેનારાનાં જીવનને પેાષનારી ઉપયેગી બધી વસ્તુ અહીંજ નીપજે છે અને મળે છે. ઉપરાંત એક ઉત્તમ ઔષધાલય છે; અને સુવાવડ માટે એક ઉત્તમ પ્રસૂતિગૃહ પણ છે, જેને લાભ ત્યાં વસનારી બહેનેાને સુવાવડ વેળા ફરજિયાત લેવા પડે છે.
યાલબાગમાં એક ઉચ્ચ પ્રતિની કૅલેજ છે. કન્યાઓ માટે જુદી કાલેજ ખંધાઇ રહી છે. અહીં અનાથાશ્રમ પણ છે. ભણનાર છેકરા અને છેકરીઓને કવાયત અને વ્યાયામ ફરજિયાત કરવાં પડે છે. આટલેથીજ દયાલબાગની વાત અટકતી નથી. ઔદ્યોગિક શિક્ષણ અહીં બહુજ સારી રીતે વિકાસ પામ્યું છે. અહીંના કલાભવનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com