________________
લિટીના વાઈસ પ્રેસિડંટ (ઉપપ્રમુખ) નીમાયા હતા. આથી રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. (પ્રેસીડન્ટ)ના હાથ નીચે મ્યુનિ. સિપાલિટી સંબંધી ઘણો સારો અનુભવ મેળવ્યું હતું. તેથી રા. બ. રણછોડલાલના મરણ પછી શેઠ મણિભાઈને ઈ. સ. ૧૮૯૮ માં પ્રેસિડંટ (પ્રમુખ) નીમવામાં આવ્યા હતા.
શેઠ મણિભાઈમાં દયારૂપી ઉત્તમ ગુણ હતું. જ્યારે સંવત ૧૯૫૬ ની સાલમાં ( છપ્પનીઓ) દુકાળ પડ્યો ત્યારે પિતે મેટું ખર્ચ કરી કેટલકૅમ્પ” કાઢ્યું હતું, અને ગરીબો માટે દાણા વગેરે આપવામાં મોટી મદદ કરી હતી. તેમજ ગુજરાત કૅટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડમાં પ્રેસિડંટ થઈ જાત મહેનતથી ઘણું પશુઓ અને ઢોર બચાવ્યાં હતાં. દયાને ગુણ એટલે બધે હતો કે બીજા પર ભરૂસો ન રાખતાં ગરીબની સારવાર પોતે જાતમહેનતથી કરતા હતા, અને તેમ કરતાં શીતળાને રોગ લાગુ પડ્યો હતો. તેના પરિણામે તેમને દેહ ત્યાગ થયે.
આ ઉપરથી જોતાં તેઓએ નાની ઉમ્મરમાં સરકાર તેમજ પ્રજા એમ બંને તરફથી ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. દયાને ગુણ તેમના સર્વ ગુણેમાં પ્રધાન હતા. સ્વભાવે શાંત, ગંભીર અને વિનયવંત હતા. લેકોનું ભલું કરી વામાં આત્મભોગ આપવાનું હમેશાં સ્વીકારતા.
તેમને પિતાને શેઠ કસ્તુરભાઈ અને ઉમાભાઈ નામના બે પુત્ર છે. શેઠ મયાભાઈના શેઠ વિમળભાઈ અને સારાભાઈ એ બે પુત્ર છે. શેઠ લાલભાઈને ચમનભાઈ શેઠ છે. આ માટે જુઓ વંશાવલી. ચમનભાઈ શેઠ હમણાં સુધી નગરશેઠ હતા–તે સાથે ચાલુ (સં. ૧૮૬૮)ની સાલમાં શેઠ આણંદજી કલ્યાણજીના પ્રેસીડન્ટ નીમાયા હતા. પરંતુ દીલગીરીની વાત છે કે થોડા દિવસ પહેલાં એકાએક સ્વર્ગવાસ પામ્યા. તેમનું ટુંક જીવન વૃત્તાંત આ સાથે આપીએ છીએ
ચીમનભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈનો જન્મ સને ૧૮૮૪ ના વર્ષમાં થયો હતે. તે વખતમાં જ તેમણે ગવર્નમેંટ હાઈસ્કુલમાં કેળવણ લીધી હતી. તદન નાનપણમાં જ પિતાના પિતાશ્રી સ્વર્ગવાસ પામવાથી બધી મિલ્કતને સંપૂર્ણ વહીવટ લેવાનું માત્ર ૧૬ વર્ષની કુમળી વયમાં તેમને શિરે એકાએક આવી પડયું હતું, અને તેમ છતાં તેમને વહીવટ એવી સંતોષકારકરીતે કર્યો કે બધાને તેમના વિષે સરસ અભિપ્રાય બંધાયેલો છે. તેમને નગરશેઠ (શેરિફ)