________________
૩૩
સરકારની જમાબંદી શિવાય રૈયતની નીસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગલ કરી આપે છે તે સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રૈયત નીશબત તથા એમના પુત્રપુત્રાદિ વંશપરંપરા તેમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ કાગલ ભોગવટાદારને પાછો આપે. સારાંસ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાદીલાકર ખર આંગના પ્રમાણ મહારતબ.
ન
૪.
આદી મેસર એ રસુલુલ્લા કાછ મુસ્તફિદમાં ૧૧૫૦.
નકલ
અસલ મુજબ, અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પિસ્તરના કાજી મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉતદારખાન તથા હકીકત લખનાર કબીર આલીખાન મરહુમના મોહથી શાબીત થએલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસે એકરાર અને કબુલ કરે છે તેમના નામની યાદી.
કિશવરદાસ રણછોડદાસ. સુંદરદાસ કેવાદાસ. કવલનેણ રઘુનાથદાસ.
થાવરજી બલમ. જેચંદ બલ્લમ.
ભૂખણદાસ બલાખીદાસ. અબુબકર શાહાભાઈ.
તારાચંદ મોરારજી. બનમાળીદાસ ગોકુળદાસ. મહમદ અબદુલ વાહીદ.
વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સોદાગર જત સને ૧૧૩૭ માં દખણ લુંટારાએ ભારી ફેજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાએને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઈરાદાથી શહેર ઉપર ઘેરો ઘાલ્યો હતો. અમે વિગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેઓના હાથથી છુટા થવાનું સુઝતું નહોતું. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ બચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તરદદુદ અને કોશીશ પેશ પહોંચાડી પિતાના ઘરના ઘણુ પૈસા ખરચીને અમને