________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
' (૧૯ જેટલી તો પ્રતિકૂળતા નથી ને? પોતે પોતાની રુચિ પલટાવીને આત્માની દષ્ટિ કરે તો સંયોગ કાંઈ નડતા નથી. પોતે રુચિ ન પલટાવે ને સંયોગનો વાંક કાઢે એ તો મિથ્થાબુદ્ધિ છે.
અહીં, પૈસા હોય કે પુણ્ય હોય તો જીવ પ્રશંસનીય છે એમ ન કહ્યું, પણ જેની પાસે ધર્મ છે તે જ જીવ પ્રશંસનીય છે એમ કહ્યું. પૈસા કે પુણ્ય એ કયાં આત્માના સ્વભાવની ચીજ છે? જે પોતાના સ્વભાવની ચીજ ન હોય તેનાથી આત્માની શોભા કેમ હોય? હે જીવ! તારી શોભા તો તારા નિર્મળ ભાવોથી છે, બીજાથી તારી શોભા નથી. અંતરસ્વભાવની પ્રતીત કરીને તેમાં તું ઠર એટલી જ તારી મુક્તિની વાર છે.
અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ ઉપરથી કાંઈ ધર્મ-અધર્મનું માપ નથી; ધર્મી હોય તેને પ્રતિકૂળતા આવે જ નહિ એવું નથી; હા, એટલું ખરું કે પ્રતિકૂળતામાંય ધર્મી જીવ પોતાના ધર્મને છોડે નહિ. કોઈ કહે કે ધર્મીને પુત્ર વગેરે મરે જ નહિ, ધર્મીને રોગ થાય જ નહિ. ધર્મીનાં વહાણ ડૂબે જ નહિ, તો એની વાત સાચી નથી, એને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મીનેય પૂર્વ પાપનો ઉદય હોય તો એ બધું બને. કોઈવાર ધર્મીના પુત્રાદિનું આયુષ ઓછું પણ હોય ને અજ્ઞાનીના પુત્રાદિનું આયુષ વિશેષ હોય, -પણ તેથી શું? એ તો પૂર્વના બાંધેલા શુભ-અશુભ કર્મના ચાળા છે, એની સાથે ધર્મ-અધર્મનો સંબંધ નથી. ધર્મીની શોભા તો પોતાના આત્માથી જ છે, કાંઈ સંયોગથી એની શોભા નથી. મિથ્યાદષ્ટિને સંયોગ કોઈવાર અનુકૂળ હોય, પણ અરે ! મિથ્યામાર્ગનું સેવન એ મહા દુઃખનું કારણ છે- એની પ્રશંસા શી? કુદૃષ્ટિનીકુમાર્ગની પ્રશંસા ધર્મી જીવ કરે નહિ. સમ્યક પ્રતીતિવડે નિજસ્વભાવથી જે જીવ ભરેલો છે ને પાપના ઉદયને કારણે સંયોગથી ખાલી છે ( અર્થાત્ અનુકૂળ સંયોગ તેને નથી) તોપણ તેનું જીવન પ્રશંસનીય છે-સુખી છે. હું મારા સુખસ્વભાવથી ભરેલો છું ને સંયોગથી ખાલી છું એવી અનુભૂતિ ધર્મીને સદાય વર્તે છે, તે સત્યનો સત્કાર કરનાર છે, આનંદદાયક અમૃતમાર્ગે ચાલનાર છે. અને સ્વભાવથી જે ખાલી છે અર્થાત જ્ઞાનાનંદથી ભરેલા નિજસ્વભાવને જે દેખતો નથી ને વિપરીતદષ્ટિથી રાગને જ ધર્મ માને છે, સંયોગથી ને પુણ્યથી પોતાને ભરેલો માને છે, તે જીવ બહારના સંયોગથી સુખી જેવો દેખાતો હોય તોપણ તે ખરેખર મહા દુઃખી છે, સંસારના માર્ગે છે. બહારનો સંયોગ એ કાંઈ વર્તમાન ધર્મનું ફળ નથી. ધર્માજીવ બહારથી ભલે ખાલી હોય પણ અંતરમાં ભરેલા સ્વભાવના ભરોસે તે કેવળજ્ઞાની થવાનો. અને જે જીવ સંયોગથી ભરેલો પણ સ્વભાવથી ખાલી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com