Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 170
________________ ૧૫૮ ) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (સ્વતંત્રતાની ઘોષણા રૂપિયાનું આવવું-જવું તે રૂપિયાના પરમાણુના આધારે છે. ઇચ્છા થવી તે આત્માના ચારિત્રગુણના આધારે છે. આ તો ભિન્ન ભિન્ન દ્રવ્યના પરિણામની ભિન્નતાની વાત થઈ; અહીં તો તેથી આવી અંદરની વાત લેવી છે, એક જ દ્રવ્યના અનેક પરિણામો પણ એકબીજાના આશ્રયે નથી- એમ બતાવવું છે. રાગ અને જ્ઞાન બંને કાર્ય જુદા છે. એકબીજાના આશ્રયે નથી. કોઈએ પ્રતિકૂળતા કરી કે ગાળ દીધી ને જીવને દ્વેષના પાપપરિણામ થયા, ત્યાં તે પાપના પરિણામ પ્રતિકૂળતાના કારણે થયા નથી, તેમ જ ગાળ દેનારાના આશ્રયે થયા નથી, પણ ચારિત્રગુણના આશ્રયે થયા છે, ચારિત્રગુણ તે વખતે તે પરિણામરૂપે પરિણમ્યો છે. – હવે, દ્વેષ વખતે તેનું જ્ઞાન થયું કે ‘મને આ દ્વેષ થયો,' – તે જ્ઞાનપરિણામ જ્ઞાનગુણના આશ્રયે છે, ક્રોધના આશ્રયે નથી. જ્ઞાનસ્વભાવી દ્રવ્યના આશ્રયે જ્ઞાનપરિણામ થાય છે, અન્યના આશ્રયે નહિ. એ જ રીતે સમ્યગ્દર્શન પરિણામ, સમ્યજ્ઞાન પરિણામ, આનંદપરિણામ વગેરેમાં પણ સમજવું. તે જ્ઞાનાદિ પરિણામો દ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નથી, તેમ જ પરસ્પર એકબીજાના આશ્રયે પણ નથી. ગાળના શબ્દો કે દ્વેષ વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાન શબ્દોના આશ્રયે નથી કે ક્રોધના આશ્રયે નથી, તેનો આધાર તો જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, – માટે તેના ઉપર મીટ માંડ તો તારી પર્યાયમાં મોક્ષમાર્ગ પ્રગટે; તે મોક્ષમાર્ગરૂપી કાર્યનો કર્તા પણ તું જ છો. અન્ય કોઈ નહિ. અહો, આ તો સીધી ને સ્પષ્ટ વાત છે. બહારનાં ભણતર ન ભણ્યો હોય તોપણ આ સમજાય તેવું છે. જરાક અંદર લક્ષમાં લેવું કે આત્મા અંતરમાં અસ્તિરૂપ વસ્તુ છે, તેમાં અનંતગુણ છે; જ્ઞાન છે, આનંદ છે, શ્રદ્ધા છે, અસ્તિત્વ છે, એમ અનંત ગુણો છે. તે અનંતગુણોના ભિન્નભિન્ન જે અનંત પરિણામ સમયે સમયે થાય છે તે બધાનો આધાર પરિણામી એવું આત્મદ્રવ્ય છે, બીજી વસ્તુ તો તેનો આધાર નથી, પણ પોતામાં બીજા ગુણના પરિણામ પણ તેનો આધાર નથી, – જેમ કે શ્રદ્ધા પરિણામનો આધાર જ્ઞાનપરિણામ નથી કે જ્ઞાનપરિણામનો આધાર શ્રદ્ધા નથી, બંને પરિણામનો આધાર આત્મા છે. એમ સર્વ ગુણોના પરિણામમાં સમજવું. -આ રીતે પરિણામ તે પરિણામીનું જ છે, અન્યનું નહિ. આ ૨૧૧ માં કળશમાં આચાર્યદેવે કહેલા વસ્તુસ્વરૂપના સિદ્ધાંતના ચાર બોલમાંથી આ હજી બીજા બોલનું વિવેચન ચાલે છે. પ્રથમ તો કહ્યું કે ‘ પરિણામ વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180