Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 179
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વતંત્રતાની ઘોષણા) (૧૬૭ જાય. આવા સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યજ્ઞાન થાય છે. તે સમ્યજ્ઞાનપરિણામનો કર્તા આત્મા પોતે છે. પહેલાં અજ્ઞાનપરિણામ પણ વસ્તુના જ આશ્રયે હતા, ને હવે જ્ઞાનપરિણામ થયા તે પણ વસ્તુના જ આશ્રયે છે. મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી પર્યાયનું કર્તા છે- એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા સમ્યકત્વ થાય. હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે-એમ ધર્મી જીવ જાણે છે, તે અપેક્ષાએ વ્યવહારનયને તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ધર્મીને દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યકત્વાદિ નિર્મળ-કાર્ય થાય છે, ને જે રાગ બાકી રહ્યો તેને પણ તે પોતાનું પરિણમન જાણે છે પણ હવે તેની મુખ્યતા નથી, મુખ્યતા તો સ્વભાવની થઈ ગઈ છે. પહેલાં અજ્ઞાનદશામાં મિથ્યાત્વાદિ પરિણામ હતા તે પણ સ્વદ્રવ્યના જ આશ્રયે હતા; પણ જ્યારે નક્કી કર્યું કે મારા પરિણામ મારા દ્રવ્યના જ આશ્રયે થાય છેત્યારે તે જીવને મિથ્યાત્વપરિણામ રહે નહિ, તેને તો સમયકત્વાદિરૂપ પરિણામ જ હોય. હવે જે રાગપરિણમન સાધક પર્યાયમાં બાકી રહ્યું છે તેમાં જો કે તેને એકત્વબુદ્ધિ નથી છતાં તે પરિણમન પોતાનું છે-એમ તે જાણે છે. આવું વ્યવહારનું જ્ઞાન તે કાળે પ્રયોજનવાન છે. સમ્યજ્ઞાન થાય ત્યારે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ જણાય, ત્યારે કર્તાકર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે. આ રીતે આ ૨૧૧ મા કળશમાં આચાર્યદવે ચાર બોલથી સ્પષ્ટ કરીને અલૌકિક વસ્તુસ્વરૂપ સમજાવ્યું, તેના ઉપરનું વિવેચન પૂરું થયું. ઇતિ સ્વતંત્રતાની ઘોષણા પૂર્ણ. जय जिनेन्द्र Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180