________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૧૭ -એ નિયમ છે સ્વર્ગમાં જઈને ત્યાં પણ તે જિનેન્દ્રદેવના પૂજન-ભક્તિ કરે છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા સંત પ્રમોદથી કહે છે કે અહો ! સ્વર્ગ-મોક્ષની પ્રવૃત્તિના કારણરૂપ તે ધર્માત્મા-શ્રાવકો અમને સંમત છે, ગુણીજનો વડે તે આદરણીય છે.
શ્રાવક એકલો હોય તોપણ પોતાની શક્તિ અનુસાર દર્શન માટે જિનમંદિર, વગેરે કરાવે. જેમ પુત્ર-પુત્રીના લગ્નમાં પોતાની શક્તિ અનુસાર ધન હોંશથી વાપરે છે, ત્યાં બીજા પાસે ખરડો કરાવવા જતા નથી, તેમ ધર્માજીવ જિનમંદિર વગેરે માટે પોતાની શક્તિ અનુસાર ઉત્સાહથી ધન વાપરે છે. પોતાની પાસે શક્તિ હોય છતાં ધન ન વાપરે ને બીજા પાસે માંગવા જાય-એ ન શોભે. જિનમંદિર તો ધર્મની પ્રવૃત્તિનું મુખ્ય સ્થાન છે. મુનિઓ પણ ત્યાં દર્શન કરવા પધારે. ગામમાં કોઈ ધર્માત્મા પધારે તોપણ વિહાર કરતા હોય ને નીચે મંદિર દેખે તો દર્શન કરવા ઊતરે, ને મહાન ધર્મપ્રભાવના થાય. અહો, એવા વીતરાગી મુનિ અત્યારે તો હિંદુસ્તાનમાં ગોત્યા જડતા નથી. વનમાં વિચરનારા સિંહુ જેવા મુનિવરોના દર્શન તો બહુ વિરલ હોય છે; પણ ધર્મની પ્રવૃત્તિ ધર્માત્મા-શ્રાવકો દ્વારા ચાલ્યા કરે છે, તેથી એવા શ્રાવકો પ્રશંસનીય છે.
IST It કી, જ
IT,
I
કક'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com