Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 151
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૯ શ્રાવકધર્મપ્રકાશ) કોઈ જીવ નારકીમાંથી સીધો નારકી ન થાય. કોઈ જીવ નારકીમાંથી સીધો દેવ ન થાય. દેવ મરીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. નારકી મારીને મનુષ્ય કે તિર્યંચમાં ઊપજે. મનુષ્ય મરીને ચારમાંથી કોઈપણ ગતિમાં ઊપજે. તિર્યંચ મરીને ચારમાંથી કોઈ પણ ગતિમાં ઊપજે. આ સામાન્ય વાત કરી; હવે સમ્યગ્દષ્ટિની વાત દેવમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ અવતરે. નરકમાંથી સમ્યગ્દષ્ટિ જીવ મનુષ્યમાં જ આવે. મનુષ્ય સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જાય, પણ જો મિથ્યાત્વમાં આયુષ્ય બંઘાઈ ગયું હોય તો નરક કે તિર્યંચ કે મનુષ્યમાં પણ જાય. તિર્યંચ સમ્યગ્દષ્ટિ જીવ દેવગતિમાં જ જાય, અને પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક (-તિર્યંચ હો કે મનુષ્ય) તે તો નિયમથી સ્વર્ગમાં જ જાય, બીજી કોઈ ગતિનું આયુષ તેને હોય નહિ. આ રીતે ધર્મી શ્રાવક સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી મનુષ્ય થઈ, ચૌદ પ્રકારનો અંતરંગને દશ પ્રકારનો બાહ્ય-સર્વ પરિગ્રહ છોડી, મુનિ થઈ, શુદ્ધતાની શ્રેણી માંડી, સર્વજ્ઞ થઈ સિદ્ધાલયકો પધારતે હૈ, ત્યાં સદાકાળ અનંત આત્મિક આનંદને ભોગવ્યા કરે છે. અહા, સિદ્ધોના આનંદનું શું કહેવું! આ રીતે સમ્યકત્વસહિતનાં અણુવ્રતરૂપ શ્રાવકધર્મ તે શ્રાવકને પરંપરા મોક્ષનું કારણ છે, માટે શ્રાવકે તે ધર્મ અંગીકાર કરીને તેનું પાલન કરવું એવો ઉપદેશ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180