Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 164
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર) | (સ્વતંત્રતાની ઘોષણા કર્તાકર્મસંબંધી ભેદજ્ઞાન કરાવતાં આચાર્યદવ કહે છે કે ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।।२११ ।। વસ્તુ પોતે જ પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી- એ સિદ્ધાંત અહીં ચાર બોલથી આચાર્યદવે સ્પષ્ટ સમજાવ્યો છે ૧. પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે-કાર્ય છે. ૨. તે પરિણામ પોતાના આશ્ચયભૂત પરિણામીના જ હોય છે, અન્યના નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્ચયભૂત પરિણામી (દ્રવ્ય) ના આશ્રયે હોય છે, અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી. કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતા નથી. ૪. વસ્તુની સદા એકરૂપ સ્થિતિ (કૂટસ્થતા) હોતી નથી, કેમકે વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે. -આ રીતે, આત્મા કે જડ બધીયે વસ્તુ સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે-એ વસ્તુસ્વરૂપનો મહા સિદ્ધાંત આચાર્યદેવે સમજાવ્યો છે. - તેના ઉપરનું આ પ્રવચન છે. આ પ્રવચનમાં અનેક પડખાથી સ્પષ્ટીકરણ કરીને ગુરુદેવે ભેદજ્ઞાન ઘૂંટી ઘૂંટીને સમજાવ્યું છે. જાઓ, આમાં વસ્તુસ્વરૂપનો સિદ્ધાંત ચાર બોલથી સમજાવ્યો છે. આ જગતમાં છ વસ્તુ છે, આત્માઓ અનંત છે, પુદ્ગલપરમાણુઓ અનંત છે, તથા ધર્માતિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ, -આમ છએ પ્રકારની જે વસ્તુ, તેના સ્વરૂપનો વાસ્તવિક નિયમ શું છે, સિદ્ધાંત શું છે તે અહીં ચાર બોલથી સમજાવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180