________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૪૩
શ્રાવકનાં વ્રતોનું વર્ણન
સમ્યગ્દષ્ટિ-પંચમગુણસ્થાની શ્રાવક એનો રાગ કેટલો ઘટી ગયો હોય! ને એનો વિવેક કેટલો હોય ! એકાવતારી ઇન્દ્ર અને સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં ય ઊંચી જેની પદવી, એના વિવેકની ને એના મંદરાગની શી વાત! અંદર શુદ્ધાત્માને દૃષ્ટિમાં લઈને સાધી રહ્યા છે ને પર્યાયમાં રાગ ઘણો ઘટી ગયો છે. મુનિ કરતાં થોડીક જ ઓછી એની દશા છે. આવી શ્રાવકદશા અલૌકિક છે.
આ દેશવ્રત-ઉદ્યતન એટલે શ્રાવકનાં વ્રતોનું પ્રકાશન ચાલે છે. સૌથી પહેલાં સર્વજ્ઞદેવે કહેલા ધર્મની ઓળખાણ કરવાનું કહ્યું, પછી સમ્યગ્દષ્ટિ એકલો પણ મોક્ષમાર્ગમાં શોભે છે એમ કહીને સમ્યકત્વની પ્રેરણા કરી; ત્રીજી ગાથામાં સમ્યગ્દર્શનને મોક્ષવૃક્ષનું બીજ કહીને, તેની દુર્લભતા બતાવી, તથા યત્નપૂર્વક સમ્યત્વ પ્રાપ્ત કરીને તેની રક્ષા કરવાનું કહ્યું. સમ્યકત્વ પામીને પછી મુનિધર્મનું કે શ્રાવકધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપ્યો, તેમાં શ્રાવકનાં હંમેશનાં છ કર્તવ્ય પણ બતાવ્યા.
હવે શ્રાવકનાં વ્રતોનું વર્ણન કરે છે
दृग्मूलव्रतमष्टधा तदनु च स्यात्पंचधाणुव्रतं। शीलाख्यं च गुणव्रतं त्रयमतः शिक्षाश्चतस्रः पराः।। रात्रौ भोजनवर्जनं शुचिपटात् पेयं पयः शक्तितो। मौनादिव्रतमप्यनुष्ठितमिदं पुण्याय भव्यात्मनाम्।।५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com