________________
* ૩૪
૩-૦-૦ રાખવામાં આવી છે, તે યોગ્ય છે. એ ગ્રંથ ખરીદ કરવાની ઈચ્છા રાખનારને મુંબઈ, દાદી શેઠ અગિયારી સ્ટ્રીટમાં, ૧૧૮ નંબરના મકાનમાં, તેના કરૂં ર. ઠકેરદાસ જમનાદાસ પંજી પાસેથી મળશે.
શુક્રવાર તા. ૨૧ મી અકબર, ૧૯૧૦ ના મુંબઈના “સાંજ વર્તમાન પત્રમાં આવેલ મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ, ( કર્તા તથા પ્રસિદ્ધ કરનાર–મી. ઠાકરદાસ જમનાદાસ પંજી.)
આ ગ્રંથની એક નકલ તેના કર્તા મી. ઠાકરદાસ જમનાદાસ પંછ તરફથી મળી છે. સંસ્કૃત ભાષા અને તેના ગ્રંથનું શ્રેષપણું અને તે જાણવા સારૂ જોઈતાં વ્યાકરણનું ઉપગીપણું જગજાહેર છે, ને ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના વ્યાકરણના ગ્રંથની ખરેખરી ખેટ છતાં હજી સુધી તેને ગ્રંથ થયો નથી, એટલે આ ગ્રંથના ઉપગીપણાં વિષે પણ બે મત પડનાર નથી. જોવાનું છે એટલું જ છે કે જે ગ્રંથેથી હાલ સંસ્કૃત વ્યાકરણ ગણાય છે તે જોડે સરખાવતાં આ ગ્રંથ કે છે તે બાબત તપાસતાં માલમ પડે છે કે એ ગ્રંથની રચના હાલમાં વપરાતા સંસ્કૃત ભાષામાં રહેલા સિદ્ધાંત કૌમુદી નામના ગ્રંથની તેમજ અંગ્રેજી ભાષામાં રહેલી મૅસમ્યુલર, કલહોર્ન, કાલે તથા ભંડારકરની ચેપડીઓની રચનાથી જાદી જ છે ને તે અપરિચિત હેવાથી પહેલી દૃષ્ટિએ હરકેઈને અઘરી લાગે, પણ અંદર પંસી વિચાર કરનારને સૌથી શ્રેષ્ઠ દેખાશે; સિદ્ધાંત કૌમુદીમાં એક શબ્દ સિદ્ધ કરવાને ઘણીવાર અનેક સૂત્રે પૂર્વપરથી યાદ કરી લેવા પડે છે, ને શંકા સમાધાનની માથાકૂટ ડગલે ડગલે પડે છે, તેમ આ ગ્રંથ ભણનારને કરવું પડે તેમ નથી, કેમકે એમાં નિયમે તથા અપવાદે સીધી સડક જેવા આપેલા છે. અંગ્રેજીમાં થયેલા પુસ્તકમાં ધાતુઓના સંબંધમાં અનુબં. ધની, ને તેઓના ગણોની નિશાનીઓના સંબંધમાં વિકારક અવિકારની વાત છેડી દીધેલી હેવાથી અનેક ગુંચવણુઓ પડે છે ને અનેક કલમે જાણવી પડે છે એટલું જ નહીં, પણ નહીં જ ભણ્યા પછી કંટાળી મુકી દેવું પડે છે, ને તે મેટ્રિકયુલેશન આદિ પરીક્ષાઓમાં જતાં ગુજરાતી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત લેનારાઓની સંખ્યા જોઈએ તેવું બતાવી આપે છે. વળી સિદ્ધાંત કૌમુદીમાં જુઓ કે અંગ્રેજીમાં થયેલા વ્યાકરણમાં જુઓ તે માલમ પડશે કે ઘણીવાર ઘણા શબ્દના રૂપે તૈયાર કરવાનું ભણનારપર રાખેલું હોય છે ને તે તેનાથી બની શકતું નથી. સમાસની વાત લખ્યા પહેલા સામાસિક શબ્દના સ્ત્રીલિંગની વાત લખેલી હેય છે, અને એવી એવી અનેક બાબતને લીધે ભણનારને ઘણી ગુંચવણીઓ પડે છે, તે સઘળી આ ગ્રંથમાં તદન દર થયેલી જોવામાં આવે છે. સમગ્રપણે વિચાર કરતાં એમ લાગે છે કે આ “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગ્રંથમાં સંસ્કૃત વ્યાકરણના જેઈત તમામ અંગે કુદરતી નિયમ પ્રમાણે પગથીએ પગથીએ ચહડતા ગોઠવેલા છે ને તેમાં કરવાની ક્રિયાઓ કમવાર સ્પષ્ટ બતાવી તેઓને લગતા નિયમો પાણિનીયસૂત્રાર્થાનુસાર નિઃશેષ અને અનન્યસાધારણ રીતે જોઈતા પૂરા રૂપે સાથે ગ્ય અનુક્રમે આપેલા છે, ને તેથી એ ગ્રંથ કોલેજમાં ભણતાં અને મેટ્રિકયુલેશનની પરીક્ષામાં જતા વિદ્યાર્થીઓને, અને ગ્ય વિભાગે તથા ગોઠવણેથી ઉપ
ગમાં લીધાથી અંગ્રેજી સ્કૂલે તથા કેલેજો તેમજ ગુજરાતી નિશાળના તથા બીજા ગુજરાતી લખી વાંચી જાણનારા નાના મેટા, વધતું ઓછું ભણેલા કે શરૂઆતથી ભણનારા સર્વે વિદ્યાર્થીઓને અતિ ઉપયેગી. અને બરાબર ભણેતે બાર મહિનામાં સંસ્કૃત ભાષાનું સંતેષકારક જ્ઞાન સેહેલથી કરી શકે તે છે; ને એ રીતે એ ગ્રંથના વિષયની ઉત્કૃષ્ટતા અને તેની