Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 363
________________ ૫૩ નાને અનુસરતા વ્યાકરણ રચવા તરફ વિદ્વાનેનું લક્ષ દેરાય એ એક આવકારદાયક પ્રયત્ન છે. સંસ્કૃત ભાષાને વિદ્યાર્થીઓમાં આટલે બધે પ્રચાર થયો છે તે ડે. ભાડારકરની પહેલી અને બીજી ચેપડીને લીધે છે. ડો. ભાસ્કારકની પહેલી અને બીજી ચેપડી સંસ્કૃત ભાષાના અભ્યાસીઓમાં આટલી બધી પ્રિય થઈ પડી છે તેનું કારણ એ છે કે તેનાથી સરલ રીતે થેડી મુદ્દતમાં સંસ્કૃતનું સારું જ્ઞાન થાય છે. ડે. ભાડારકરે અંગીકાર કરેલો કમ તે પ્રસિદ્ધ છે. મી. પંજીને આ ગ્રંથ સંસ્કૃત ભાષાના વ્યાકરણને સાથે સમાવેશ કરે છે. ઈગ્રેજીમાં બહીટની, કીëર્ન, મંકસમ્યુલર અને કાલેના વ્યાકરણ પ્રસિદ્ધ છે, પરંતુ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનું એક સંપૂર્ણ વ્યાકરણ ન હતું અને તે ખેટ પુરી પાડવાને માટે સંસ્કૃત વ્યાકરણના અભ્યાસીઓ એમના ઉપકૃત થયા છે. ઉપલક વાંચનારને પણ સ્પષ્ટ જણાશે કે મી. પંજીએ આ વ્યાકરણ કરવામાં અતિશય મહેનત લીધી છે. ગ્રંથના વિભાગ સ્પષ્ટ અને યોગ્ય રીતે પાડેલા છે. આઠ પ્રકરણની સંખ્યા પાણિનિના અષ્ટાધ્યાયીના અનુકરણ રૂપ લાગે છે, વિષય વિભાગ ઘણે ખરે ભટ્ટજી દીક્ષિતની સિદ્ધાંત કૌમુદીને અનુસરતે છે. પહેલા પ્રકરણમાં અક્ષર, બીજામાં સંધિ, ત્રિજામાં ધાતુ, કૃમ્પત્ય વિગેરે, ચેથામાં પ્રાતિપદિક, પાંચમામાં અવ્યય, છઠ્ઠામાં સમાસ, સાતમામાં વાક્ય રચના, અને આઠમામાં ગણેને સમાવેશ કરવામાં આવ્યું છે. મી. પંજીના વ્યાકરણની પુર્ણ તપાસ અત્રે શક્ય નથી પરંતુ વ્યાકરણના કઠિન વિષયે જેવા કે સમાસ અને ટ્રક લકાર તેને મી. પંજી કેવી રીતે શિખવે છે તે જોઈ અને તે ઉપરથી જોઈ શકાશે કે મી. પંજી પિતાના પ્રયત્નમાં કેટલે અંશે ફતેહમંદ નિવડયા છે. યુરોપીઅન વૈયાકરણએ અઘતન ભૂતના સાત કૃત્રિમ વિભાગ પાડ્યા છે. કૃત્રિમ એટલે પૂર્વના વ્યાકરણમાં નહિ પડિલા. સંસ્કૃત વિયાકરણેમાં લુ લકાર (અદ્યતન) ને સ્ટિ લગાડે છે. સ્કિને બદલે સિમ્, , , વિગેરે જુદા જુદા ફેરફાર થાય છે. મી. પંજીએ સાત કૃત્રિમ વિભાગેને પિતાના વ્યાકરણમાં સ્થાન આપ્યું નથી. પરંતુ અછિન્નભિન્ન દશામાં અદ્યતનને મુકેલ છે. સંસ્કૃત વૈયાકરણેએ અનુબન્ધ યુક્ત ધાતુઓ આપેલા છે અને તે ધાતુઓના અનુબન્ધ યથાર્થ જાણ્યા વિના સંસ્કૃત વ્યાકરણનું પૂર્ણ જ્ઞાન અશક્ય છે. મી. પંજીએ ધાતુઓને અનુબન્ધ યુક્ત આપ્યા છે તે ઉચિતજ કર્યું છે. જસ્ટ ધાતુને અનુબન્ધ છે અને તેથી પુજાવિરાથવિત પુરપુ આ સૂત્રથી ૯ (Secondvariety) ઉમેરાય છે. સમાસના પ્રકરણમાં ઉત્સર્ગ અપવાદ નિયમથી સારી રીતે સમાસનુ સ્પષ્ટીકરણ કર્યું છે. દ્વિગુ સમાસમાં મી. પંજીએ સંધ્યાપૂ વુિ એ સૂત્રને અનુસરીને એક નિયમ આપે છે. અને તે નિયમના ઉદાહરણ તરીકે સતર્ણય આપેલું છે. પણ આ અનુચિત છે. ખરું જોતા તે સંધ્યાપૂપુિ એ સૂત્ર વિસંવે રશિયા એ સૂત્ર કે જેનાથી સર્ષ, બ્દિનાઃ એ પ્રયોગ થાય છે તેની જોડે સંબંધ ધરાવતું નથી, પરંતુ તતિત્તરપરમાર એ સૂત્રને સંબંધ છે. વિટારા તળિતાથારાવાર સંધ્યાપૂવૉ કિલુ રાશકરા અને અનાચ એ પરિભાષાથી પર મું સૂત્ર ૫૧ માની જોડે સંબદ્ધ છે, પરંતુ ૫૦ માના ડે નહિઅને તેથી વર્ષ એ પુરૂષ સમાસને ભેદ છે. મી. પંજીનુ વ્યાકરણ સામાન્યતઃ ગુજરાતીમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓને અતિ ઉપયુક્ત થઈ પડશે એમાં કંઈ પણ સંદેહ નથી. મી. પંજીને આ દિશામાં તેમના પ્રયત્ન વાસ્તે ધન્યવાદ આપવામાં આવે છે. ગ્રંથની કિંમત સાધારણ સ્થિતિના વિદ્યાથીને ભાર લાગે તેવી છે. માટે તેનું મૂલ્ય કંઇ કમી કરવામાં આવે તે સાધારણ સ્થિતિના વિધાર્થીઓ પણ તેને લાભ લઇ શકે.' - ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366