Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi
View full book text
________________
૧૩
સમયમાત્રને પ્રમાદ એગ્ય નથી.” શ્રી ગૌતમસ્વામી, જેઓ ચાર જ્ઞાનના ધણી હતા. તે જ ભવે મોક્ષે જનાર હતા, ચતુર્વિધ સંઘના અગ્રણી, હજારો સાધુ-સાધ્વીઓના અગ્રેસર, આચાર્ય ભગવંતોની શંકાનું નિરાકરણ કરનાર, ઉપાધ્યાય ભગવંતોને માર્ગદર્શન દેનાર, અગણિત ઋદ્ધિ, સિદ્ધિ, લબ્ધિના ધણી, જેના અંગૂઠે અમૃત કરે. અને જેનું સ્મરણ કરતાં મનવાંછિત ફળ મળે, તેવા ગુરુ ગૌતમને ભગવાન પ્રમાદ ન કરવાને ઉપદેશ કેમ આપતા હશે તે વિચારવા યોગ્ય છે. અહીં તે ભગવાનનું કહેવું છે કે એક સમયમાત્ર પણ ઉપયોગને આત્માની બહાર ન જવા દે; એક સમયમાત્ર પણ આત્માના અનુભવની બહાર ન જા. મુનિ જ્યારે આત્માના અનુભવમાં લીન હોય છે ત્યારે તેને ધ્યાન કહેવાય છે. આત્મામાં મગ્નતા તે જ ધ્યાન, બાકી યાન તરંગ માત્ર છે. જ્યારે મુનિ ધ્યાનમાં લીન હોય, તલ્લીન થઈને ભસ્ત હોય ત્યારે તેમને અતીન્દ્રિય આનંદનું પ્રચૂર ન હોય. તે આનંદના સમયે તેમને પિતાના આત્મા સિવાય બીજો કોઈ અનુભવ ન હોય અને તે વખતે તેમને આત્મા તેમના દેહથી તદ્ર્ન ભિન્ન ભાસે અને તે વખતે મુનિશ્રી ગજસુકુમારની જેમ માથા ઉપર અંગાર મૂકે તે પણ આત્માના અતીન્દ્રિય આનંદ અને સુખના પ્રચુર વેદનમાં તેને તેની વેદના નહિવત ભાસે. જેમ પતંગના પેચ લડાવતા બાળકને આનંદમાં આંગળી પાયાની વેદના તેને થતી નથી તેમ આત્માના આનંદના. અનુભવના વેદનમાં બીજી કઈ વેદનાની વિસાત ન હોય. ધર્મની આરાધના તે જ આત્માના અનુભવની વાત અને આત્માના અનુભવમાં અત્યંત આનંદ, સુખ, શાંતિ હોય ત્યાં કટ ન હોય. તપમાં આપણે કષ્ટ માનીએ છીએ તે તે ધર્મ ના હાય કારણ કે ધર્મમાં તે આનંદ જ હોય અને જ્યાં આત્માને આનંદ નથી ત્યાં ધર્મ નથી.
દ્વિતીય આવૃત્તિનું એક પણ પુસ્તક સિલકમાં ન હોવાથી, અને આ પુસ્તકની ઠેરઠેરથી સતત માંગને છેલ્લા ઘણું સમયથી સંતોષી શકવાનું શક્ય ન હોવાથી, તૃતીય આવૃત્તિ છપાવવાની જોગાનુજોગ જરૂર ઉપસ્થિત થઈ, અને તે શુભ કાર્યમાં હું નિમિત્ત માત્ર છું. તૃતીય આવૃત્તિ માટે કાગળ ખરીદવામાં મદદ કરવા માટે શ્રી હર્ષભાઈ ટેલિયા (મુંબઈ)ને હું ઘણે આભારી છું. વળી છાપકામની દેખરેખ રાખવાની જવાબદારી અમદાવાદના શ્રી પ્રભાકરભાઈ કામદરે સહર્ષ ઉઠાવી લેવા બદલ હું તેમને અત્યંત ઋણી છું. અને આ આવૃત્તિના પુસ્તક ઉપર ચઢાવેલ પ્લાસ્ટિકનું જેકેટ ભેટ આપવા બદલ શ્રી બકુલભાઈ મોદી (બેંગલોર)ને અત્યંત આભારી છું. સ્વાધીન સદન,
દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ.
વસંત પંચમી ૩૦–૧–૧૯૮૨,
સંવત ૨૦૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 620