Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 136
________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૭ સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા ભાગવતપુરાણ એમણે મૂળ સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. એક વખત શ્રીકૃષ્ણ વિશે કોઇક ભાઇએ “મુંબઈ સમાચાર”માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે “ભગવાન શ્રીકૃષ્ણ' એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે “મુંબઈ સમાચારમાં છપાયા હતા. તનસુખભાઇએ ઇ. સ. ૧૯૪૯માં “દલપતરામ-એક કાવ્યાભિગમ” નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઈડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઇમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતું નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરતો સમય આપી શકતા . નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. દરમિયાન યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂંક કરી. તનસુખભાઇને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. થિસિસનું બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. . ટાઈપ કરેલાં સાડા સાતસો પાનાંનો આ શો ધપ્રબંધ તનસુખભાઇએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. (હાલ આની માત્ર બે જ નકલ છે–એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઇની પોતાની, જે એમણે મુંબઇમાં મીઠીબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178