Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ ખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતા ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચકિત થઈ જવાય. દુનિયાના ભોજન-વ્યવહારથી તદ્દન વિભિન્ન દિશામાં જૈન ધર્મ સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ટ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178