Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 160
________________ પ.પૂ.વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧ ૫૧ આ વાતની પ્રતીતિ થાય છે. મુંબઈમાં મહારાજશ્રી બિરાજમાન હતા ત્યારે શ્રીપાલનગર, ભાયખલા વગેરે સ્થળે એમનાં દર્શન વંદન માટે મારે જવાનું થતું. એ દિવસોમાં મેં “સિદ્ધ પરમાત્માના સ્વરૂપ વિશે લેખ લખ્યો હતો. તે જોઈ આપવા મેં એમને આપ્યો હતો. તેઓ આખો લેખ શબ્દશઃ વાંચી ગયા હતા અને યોગ્ય સૂચનો કર્યાં હતાં, તે પછી એ લેખ મેં પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યો હતો. એટલે જ એમના પ્રત્યેના પ્રેમભર્યા પૂજ્યભાવથી પ્રેરાઈને ઇ. સ. ૧૯૯૬માં મારું પુસ્તક જિનતત્ત્વ-૬” એમને અર્પણ કર્યું હતું. મુંબઈથી વિહાર કરીને તેઓ અમદાવાદ ગયા ત્યાર પછી એમની સાથે પત્રવ્યવહાર રહેતો અને મારે અમદાવાદ જવાનું થાય ત્યારે એમને વંદન કરવા જતો. “ધર્મદૂત'ના વાંચનથી એમની સાથે સંપર્કમાં રહેવાતું. બે મહિના પહેલાં હું અમદાવાદ ગયો હતો ત્યારે મહાલક્ષ્મીટોળકનગર વિસ્તારમાં તેમને વંદન કરવા ગયો હતો. તે સમયે તેઓ ઘણા બીમાર હતા. બારણું બંધ હતું અને બોર્ડ મૂક્યું હતું કે તેમની બીમારીને કારણે કોઇએ અંદર વંદન કરવા જવું નહિ. હું નિરાશ થઈ પાછો ફરતો હતો ત્યાં પૂ. શ્રી ભવ્યદર્શનવિજયજીની મારા પર નજર પડી. તેઓ તરત અંદર મહારાજશ્રીને મળી આવ્યા અને બારણું ખોલીને મને અંદર બોલાવ્યો. મહારાજશ્રી પોતે ઘણા જ અશક્ત હતા તો પણ પોતાને બેઠા કરવા માટે શ્રી ભવ્યદર્શનવિજયજીને કહ્યું. પછી અત્યંત પ્રસન્નતાપૂર્વક મહારાજશ્રીએ દસેક મિનિટ મારી સાથે વાત કરી. મેં એમને વિનંતી કરી કે “ધર્મદૂત' સામયિકમાં એમની “ષોડશક' વિશેની તથા ગુણસ્થાનક્રમારોહ' વિશેની લેખમાળા તથા પ્રશ્નોત્તરી પુસ્તક રૂપે જો પ્રકાશિત થાય તો ઘણાંને લાભ થાય. એમણે જણાવ્યું હતું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178