Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 169
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ થયા. સ્વર્ગારોહણની તિથિ બાજુ પર રહી ગઈ. મિનસ્ટરે પોણો કલાક જૈન સમાજ માટે પોતે શું શું કર્યું એ વિશે પોતાનાં બણગાં ફૂક્યાં, જેને સમાજની કેટલીક ટીકા કરી, કેટલીક સલાહ આપી અને વક્તવ્ય પૂરું થતાં મુનિ મહારાજને નમસ્તે કરી ચાલ્યા ગયા. પરિણામે સમગ્ર કાર્યક્રમ ડહોળાઈ ગયો. અડધા લોકો ખાવા માટે ઊભા થઈ ગયા. તરત મહારાજ સાહેબે ટૂંકું વક્તવ્ય આપી માંગલિક ફરમાવ્યું અને કાર્યક્રમ પૂરો થયો. જૂના વખતમાં રાજા રાજ્ય પર શાસન ચલાવે પણ સાધુ મહાત્માને વંદન કરે. ભારતીય સંસ્કૃતિમાં રાજ્યસત્તા કરતાં ધર્મસત્તાને ચડિયાતી ગણવામાં આવે છે. જે રાજા સાધુઓને સતાવે છે તે વિનાશ નોંતરે છે. પ્રજા પણ ધર્મગુરુને વધારે માન આપે છે. કોઈ સભામાં રાજા પધારે ત્યારે એમને માન આપવા સમસ્ત મહાજન ઊભું થઈ જાય છે, પણ સાધુઓ પોતાના સ્થાને બેઠેલા રહે છે. (ઘણાં વર્ષો પહેલાં એક સભામાં રાષ્ટ્રપતિ પધાર્યા ત્યારે મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવો ઊભા થઈ ગયા. તે વખતે એક મુનિ પણ ભૂલમાં ઊભા થઈ ગયા હતા.) રાજાઓ પોતાની મર્યાદા સમજે છે. રાજા દુષ્યત કણ્વ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે પોતાનાં મુગટ, હાર વગેરે રાજચિહ્નો ઉતારીને આશ્રમમાં પ્રવેશે છે. વિદ્યાધામોમાં પણ રાજા કરતાં શિક્ષકનું-વિદ્યાગુરુનું માન વધુ હોય છે (જો કે હવે એવું રહ્યું નથી.) જૂના વખતની ઇંગ્લંડની વાત છે. ત્યાં ક્યારેક રાજા શાળાઓની મુલાકાતે નીકળતા. ઇંગ્લંડમાં રિવાજ એવો છે કે રાજા પધારે ત્યારે બધા પોતાની હેટ માથેથી ઉતારીને હાથમાં રાખે. રાજા પ્રત્યે સન્માન બતાવવાની એ પ્રથા છે. એક વખત રાજા પોતાના રસાલા સાથે ઇંગ્લંડની શ્રેષ્ઠ ગણાતી એક શાળાની મુલાકાતે ગયા. રાજા પધાર્યા ત્યારે આચાર્ય એમનું સ્વાગત કરવા પહોંચ્યા. પરંતુ એ વખતે એમણે પોતાની હેટ ઉતારી નહિ. રાજાને એ ગમ્યું નહિ. મંત્રીઓને અને બીજાઓને પણ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178