Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 166
________________ संसग्गि असाहु राइहिं । ૧૫૭ પરેશાન કરવાની ક્ષમતા અને આવડત સત્તાધીશોની પાસે હોય છે. કાયદા આગળ કોઇનું કશું ચાલતું નથી, પણ સત્તાધીશો કાયદો બદલી શકે છે. અથવા એનો અમલ વિલંબમાં નાખી શકે છે. એટલે કોઈ સાધુ મહાત્માઓ રાજનેતાઓ સાથે સંપર્ક રાખે એ શાસનના હિતની દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે રાજકારણમાં પક્ષાપક્ષી હોય છે. એટલે સાધુ મહાત્માઓએ પક્ષાપક્ષીમાં પડવું ન જોઇએ. વળી એ પણ સમજવું જોઇએ કે આ વ્યવહાર-દષ્ટિએ ઉપયોગી છે. એથી મોક્ષમાર્ગની આરાધનાને અવશ્ય અસર પહોંચે છે. જે મહાત્માઓ સમર્થ અને પ્રભાવક છે તેઓ પોતાની આત્મસાધનાની સાથે સાથે રાજદ્વારી વ્યક્તિઓ સાથે પોતાની મર્યાદામાં રહીને સંસર્ગ રાખે એ વ્યવહાર દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ સાથે સતત સંપર્ક હતો. એથી શાસનને લાભ જ થયો છે. આઠ-નવ સેકાથી ગુજરાત મુખ્યત્વે શાકાહારી રહ્યું છે. એનાં મૂળ હેમચંદ્રાચાર્ય અને રાજા કુમારપાળના સંબંધમાં રહ્યાં છે. શ્રી હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિબોધ પમાડ્યા એને કારણે એમના વખતમાં વરસમાં કુલ છ મહિના જેટલો સમય કતલખાના બંધ રાખવા માટે ફરમાનો નીકળ્યાં હતાં. આવાં બીજાં ઘણાં ઉદાહરણ મળી શકે. સાધુ સંન્યાસીઓ માટે સામાન્ય લોકોમાં એવી શ્રદ્ધા રહે છે કે તેઓ પાસે વિદ્યા, મંત્ર, જડીબુટ્ટી, વાસક્ષેપ, માદળિયું, રક્ષાપોટલી, વગેરે કંઈક હોય છે અને તેના વડે તેઓ લોકોનાં દુઃખ દૂર કરી શકે છે, ધનસંતાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કોર્ટકચેરી, ચૂંટણી કે યુદ્ધમાં વિજય અપાવી શકે છે. જૂના વખતમાં યુદ્ધ કરતાં પહેલાં રાજાઓ પોતાના ધર્મગુરુના આશીર્વાદ લેતા. હાલ કેટલાયે નેતાઓ ચૂંટણી વખતે સાધુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવા આવે છે અને જો જીતી જાય તો એમની શ્રદ્ધા બમણી થાય છે. સાથે સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178