Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 156
________________ પ.પૂ.સ્વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ વર્તમાન સમયના જૈન શાસનના એક મહાન આરાધક, સમતાસાધક, શાસ્ત્રજ્ઞ, અખંડ બાલબ્રહ્મચારી, સંઘસ્થવિર, ગીતાર્થ આચાર્ય ભગવંત પૂજયપાદ શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૫૯ના ચૈત્ર સુદ ૬ ને મંગળવાર તા. ૮મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ અમદાવાદમાં રાત્રે સાડા આઠ વાગે પંચોતેર વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં જૈન શાસનને એક સિદ્ધાન્તરક્ષક મહાત્માની ખોટ પડી છે. પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજીની તબિયત છેલ્લાં ૧૩ વર્ષથી બરાબર રહેતી નહોતી. તેમ છતાં તેઓએ એકંદરે શાસનસેવાનું ઘણું મોટું કાર્ય કર્યું છે કારણ કે એમને ૬૧ વર્ષનો સુદીર્ઘ દીક્ષાપર્યાય સાંપડ્યો હતો. તેઓ વ્યાખ્યાન, વાચના, શંકાસમાધાન ઇત્યાદિમાં અત્યંત કુશળ હતા, સારા લેખક હતા અને યોગ્ય જીવને પ્રતિબોધ પમાડીને સન્માર્ગે વાળવામાં નિપુણ હતા. તેમને સિદ્ધાન્ત–મહોદધિ પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી, પ. પૂ. શ્રી ભુવનસૂરીશ્વરજી અને પ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી મહારાજની નિશ્રામાં ચારિત્રઘડતરનો અનેરો લાભ મળ્યો હતો જેથી એમણે પોતાની સંયમયાત્રાને ઉજ્જવળ બનાવી હતી. પ. પૂ. મહારાજશ્રી મિત્રાનંદસૂરીશ્વરજીનું દર્શન મને અચાનક જ થયું હતું. કેટલાંક વર્ષ પહેલાં એક સાધુ મહાત્માને એમના બે શિષ્યો ડોળીમાં લઈ જઈ રહ્યા હતા. મુંબઇમાં વાલકેશ્વરમાં ઉપર બાબુ અમીચંદના દેરાસરે દર્શન કરી તેઓ નીચે શ્રીપાલનગર બાજુ જઈ રહ્યા હતા. ડોળીમાં બેઠેલા મહાત્માના વિશ્રામ માટે અમારા ઘર પાસે ડોળી થોડીવાર ઊભી રાખવામાં આવી હતી. પૂછતાં જાણવા મળ્યું કે ડોળીમાં છે તે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ છે. એમની ડોળી ઉપાડનાર તે એમના બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178