Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઇનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા માટે ત્યાગ કરે છે. દરેક સાધુ-સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઇનો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે. રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણવાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે. આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે. ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) સિંહ ભોજન-ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું. (૨) વાનર ભોજન-જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઇથી ખાવા મંડી પડવું. (૩) હસ્તિ ભોજન-હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન-કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું. (૫) શગાલ ભોજન-શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178