Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 150
________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૧ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : कारणं वेयण वेयावच्चे इरियाटुए य संजमाए । तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए । [વેદના, વૈયાવૃત્ય, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે.] વેદના એટલે સુધા-વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઇએ. સુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઇર્યાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છે કારણોને લીધે અથવા એમાંના મુખ્ય સુધાવેદનીય કર્મના ઉદયને કારણે આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઇએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય. માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે “સંયોજના દોષ” છે. વિશિષ્ટ રસના આસ્વાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે. રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઇપણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે અને જે વાનગી મેળવીને (જેમ કે દાળ-ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે. ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178