Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ તેમણે પોંડીચેરી છોડવાનું નક્કી કર્યું. પરંતુ મુંબઈ પાછા ફરવું નહોતું. છેવટે પૂનામાં સ્થિર થવાનું વિચાર્યું. ક્ષિતિજાએ પૂનામાં ઘર લઈ બધી વ્યવસ્થા કરી અને ૧૯૯૯માં તનસુખભાઈને પૂના લઈ આવી. આ રીતે તનસુખભાઇએ પૂનામાં પોતાનું શાન્ત જીવન શરૂ કર્યું. પૂનાના પોતાના નિવાસની ભાગ્યે જ તેમણે કોઇને જાણ કરી હતી. નેવું વર્ષની ઉંમરે તનસુખભાઈ છાપાં નિયમિત વાંચતા. ટી.વી. જોતા. ફરવા જતા. પોતાનું શરીર સાચવતા. પોતાનું કામ બરાબર કરતા. સાબરમતી આશ્રમના વખતથી પડેલી ટેવ પ્રમાણે તેઓ સવારના ચાર વાગે ઊઠી જતા અને પ્રાર્થના કરતા. ત્યાર પછી તેઓ એક કલાક ધ્યાનમાં બેસતાં. ક્યારેક સાંજે, દસ વાગે સૂતાં પહેલાં એક કલાક ધ્યાનમાં બેસતાં. (એમનાં પત્ની વસંતબહેન પણ હયાત હતાં ત્યાં સુધી ધ્યાનમાં જોડાતાં.) નેવુંની ઉંમર પછી તનસુખભાઈ ઢીલા પડ્યા હતા. બહેન ક્ષિતિજાએ પોતાના પિતાની જીવનના અંત સુધી સારી સંભાળ રાખી હતી. તનસુખભાઈ અને કહેતા કે તું મારી દીકરી છે, પણ તે મારી માતાની જેમ સંભાળ રાખી છે.” છેલ્લાં દોઢેક વર્ષથી તનસુખભાઈએ પોતાના દેહની મમતા છોડી દીધી હતી. તેમણે કોઇ પણ પ્રકારની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ કહેતા કે પોતે પોતાનો દેહ હવે કૃષ્ણાર્પણ કરી દીધો છે. એમનું શરીર ધીમે ધીમે ઘસાતું જતું હતું. ગાંધીવાદી તનસુખભાઈ કહેતા કે “આઝાદીની લડતના દિવસોમાં સૌ કોઈ ગાંધીજીને “બાપુ” કહેતા. કોઈ ગાંધીજી' શબ્દ વાપરે તો અમને બહુ ખેંચતું. હવે તો ઘણા મિ.ગાંધી કહે છે. તે અમને હૈયામાં છરી ભોંકાતી હોય એમ કઠે છે.” ગાંધીજીના ગુજરાતમાં ગોધરાકાંડ અને ભયંકર કોમી રમખાણો થયાં ત્યારે તનસુખભાઈનું હૃદય બહુ વ્યથિત થઈ ગયું હતું. ક્યાં ગાંધીજીનું સ્વપ્ન અને ક્યાં વર્તમાન પરિસ્થિતિ ? એ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178