Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 142
________________ 4. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૩૩ એવી ગેરસમજ પણ પ્રચલિત થાય. પરંતુ “હે રામ' શબ્દોની સાથે ચાખડી કોતરેલી હોય, સ્વસ્તિક હોય તો ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ પ્રચલિત ન થાય. ગાંધીજી પ્રત્યેની ભક્તિ તનસુખભાઇના દિલમાં કેટલી બધી હતી તે આના ઉપરથી સમજાશે. તનસુખભાઇ ૧૯૮૩-૮૪ થી “પ્રબુદ્ધ જીવન” માટે અવારનવાર લેખ મોકલતા રહ્યા હતા. એમના લેખ વાંચવામાં અને છાપવામાં મને આનંદ આવતો. વાચકોને પણ એમનું લખાણ ગમતું અને ઘણું જાણવાનું મળતું. કેટલાંક વર્ષ સુધી એ રીતે એમના લેખો છપાયા. પછી એક દિવસ પત્ર આવ્યો કે “મારા લેખો હવેથી છાપશો નહિ.” હું એમને મળવા ગયો. એમણે કહ્યું, “હું હવે લેખો દ્વારા પણ લોકસંપર્કમાં રહેવા ઇચ્છતો નથી.” મેં એમના લેખો પાછા આપ્યા. તેઓ અજ્ઞાતવાસમાં રહેવા ઇચ્છતા હતા. ૧૯૯૦ પછી તેઓ મુંબઈ છોડી બીજે ક્યાંક રહેવાનું વિચારતા હતા. તનસુખભાઈ દીકરી ક્ષિતિજાને કોઈ આધ્યાત્મિક નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાની ઇચ્છા હતી. પોતે જ્યાં જાય ત્યાં તનસુખભાઈ જવા તૈયાર હતા. અમદાવાદ કે વડોદરામાં રહેવાનો વિચાર કરી જોયેલો પણ ત્યાં એટલી અનુકૂળતા લાગી નહિ. છેવટે પોંડીચેરી જવાનું નક્કી કર્યું, કારણ કે ક્ષિતિજાને શ્રી અરવિંદ અને પોંડિચેરીનું આકર્ષણ ઘણું હતું. ક્ષિતિજ ત્યાં તપાસ કરી આવી. મુંબઈનો ફ્લેટ વેચી દઈ ૧૯૯૭માં તેઓ પોંડીચેરી રહેવા ગયા એ વાતની તેઓએ ખાસ કોઈને જાણ કરી નહોતી. તેઓને ત્યાં થોડો વખત તો સારું લાગ્યું, પણ ગાંધી-વિચારસરણી અને જીવનશેલીવાળા તનસુખભાઈનો શ્રી અરવિંદના પોંડીચેરીમાં બહુ મેળ બેઠો નહિ. વળી ત્યાં તડકો પણ સખત પડતો, જે એમનાથી હવે સહન થતો નહિ. પોંડીચેરીના લોકો કાં તો ફ્રેન્ચ બોલે, કાં તો તામિલ બોલે. હિંદી કે ઇંગ્લિશ બોલનાર તો કોઈક જ નીકળે. એ રીતે પણ તેમને અનુકૂળતા ઓછી લાગતી. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178