Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ તનસુખભાઈના હ્રદયમાંથી કાવ્યપંક્તિઓ સરી પડી હતીઃ આ આંખોને શમણાં જોવાની ટેવ પડી; આ ટેવમાંથી ઉગારો હો રાજ ! આ આંખોને શમણાંનો ભાર લાગે છે. ૧૩૫ તનસુખભાઇએ ક્ષિતિજાને કહ્યું હતું કે પોતાના અવસાન પ્રસંગે બહુ માણસો એકત્ર કરવા નહિ અને પોતાના અસ્થિનું વિસર્જન સંગમમાં ક૨વું. ચોથી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ એમણે મૌન ધારણ કરી લીધું અને અંતર્મુખ બની ગયા. તેમણે ક્ષિતિજાને કહ્યું, ‘બેટા! મને યમદૂતો દેખાય છે, તેઓ મને તેડવા આવ્યા છે. હું હવે જવાનો છું. તું શાન્તિથી રહેજે.' પાંચમી ફેબ્રુઆરીએ એમણે દેહ છોડી દીધો. તનસુખભાઇનું એક મહત્ત્વનું કાવ્ય તે દાંડીયાત્રા છે. તેની રચના ૧૯૪૬માં (સં. ૨૦૦૨-જન્માષ્ટમી) થઈ હતી. ૧૯૫૧માં તે પુસ્તિકા રૂપે પ્રગટ થયું હતું અને ત્યાર પછી ૧૯૫૫માં પોતાના કાવ્યસંગ્રહ ‘કાવ્યલહરી'માં એ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. આ ખંડકાવ્ય મન્દાક્રાન્તા છંદની ૧૨૫ કડીમાં (૫૦૦ પંક્તિમાં) લખાયું છે. તેનું સવિશેષ મૂલ્ય એ રીતે છે કે તેમાં સત્યાગ્રહ આશ્રમનું શબ્દચિત્ર બહુ સુંદર આપવામાં આવ્યું છે કે જે એક દસ્તાવેજી ચિત્ર જેવું થયું છે. વળી દાંડીયાત્રા કયા કયા પ્રદેશમાંથી–ગામનગરમાંથી પસાર થઈ હતી એનો ક્રમ અને એનું શબ્દચિત્ર આપણને પ્રાપ્ત થયા છે. એક દસ્તાવેજી કાવ્ય તરીકે એની મૂલ્યવત્તા ઘણી છે. ‘દાંડીયાત્રા’ નાની પુસ્તિકા તરીકે પ્રકાશિત થઈ ત્યારે એની પ્રસ્તાવના અનંતરાય રાવળે લખી હતી. એ જ કાવ્ય ‘કાવ્યલહરી'માં છપાયું ત્યારે એ સંગ્રહની પ્રસ્તાવના સ્વ. વિદ્વર્ય રસિકલાલ પરીખે લખી હતી. ‘દાંડીયાત્રા' કાવ્યને તેમણે કાલિદાસના ‘મેઘદૂત'ની યાદ અપાવે એવા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે, કારણ કે આ કાવ્યમાં મેઘદૂતની જેમ ‘સાબરમતી આશ્રમ’થી દાંડી સુધીમાં આવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178