Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 134
________________ 4. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૫ વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ એમ.એ.ના અમારા વર્ગ પણ લેતા. ત્યારે સિદ્ધાર્થ કોલેજને પોતાનું મકાન નહોતું. મરીન લાઇન્સ પર લશ્કરી બેરેકના ખાલી પડેલા ઓરડાઓમાં કામચલાઉ વ્યવસ્થા થયેલી. દર અઠવાડિયે એક વાર અધ્યાપક પોતાની કોલેજમાં એમ.એ.ના વર્ગ લેતા. ત્યારે તનસુખભાઈ ખાદીના કપડાં-રંગીન કોટ અને સફેદ પેન્ટ તથા ખાદીની આછા ચોકલેટી રંગની ટાઈ પહેરતા. ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે કોટ-પેન્ટટાઈ પહેરવાં એમને ગમતાં નહિ, પણ મુંબઈના તે કાળના અધ્યાપકીય જીવનમાં તેમ કરવાની ફરજ પડી હતી. મુંબઇની સિદ્ધાર્થ કૉલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતી એમ બે વિષયો ભણાવતા. વર્ગમાં અધ્યાપન કરાવવા માટે તેઓ પૂરા સજ્જ થઇને આવતા. તેઓ સારું ભણાવતા. શરૂઆતમાં વર્ગો મોટા રહેવાને કારણે તેમને ઉચ્ચ સ્વરે બોલવું પડતું, પણ પછી બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગોમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાને કારણે એવા ઉચ્ચ સ્વરે બોલવાનું રહેતું નહિ. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા. પરંતુ આ વર્ષો દરમિયાન એમની આસપાસ ખટપટ અને તે જ બના વાતાવરણની એમના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. તનસુખભાઇ અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક હતા ત્યારથી જ તેઓ અમદાવાદના નામાંકિત કવિઓ-શિક્ષકોના તે જોઢેષના ભોગ બનેલા. તનસુખભાઇને એમના સત્યપ્રિય સ્વભાવને કારણે સહન ઘણું કરવું પડ્યું હતું. પછીથી તો તેઓ મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપક તરીકે આવ્યા ત્યારે એ તેજોદ્વેષ મુંબઇમાં અધ્યાપકીય વર્તુળમાં પ્રસર્યો હતો, કારણ કે એમના કરતાં ઉમરમાં નાના અને ઓછી શૈક્ષણિક યોગ્યતાવાળા કેટલાક અધ્યાપકોને ઊંચાં સ્થાન મળી ગયાં હતાં. આ બધાની જાણે-અજાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178