Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 138
________________ સવ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૯ વિદ્યાર્થિની તરીકે જોડાયાં. એમ કરતાં વસંતબહેન ગુજરાતી વિષય સાથે, બી.એ. અને પછી એમ.એ. થયાં. ત્યાર પછી એમણે પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ કર્યો અને પછી પીએચ.ડી. પણ થયાં. વસંતબહેને પણ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. વળી એમનો કંઠ પણ મધુર હતો. એટલે તેઓ તનસુખભાઈની સાથે બેસીને ગાતા. રેડિયો, ટી.વી. પરના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ તેઓ રસથી સાંભળતાં-જોતાં. વસંતબહેન પીએચ.ડી. થયાં તે પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતી વિષયના લેક્ઝરર તરીકે એમની નિમણૂંક થઈ હતી. સરકારી તંત્રમાં પહેલી નિમણૂંક કામચલાઉ તરીકે કરવામાં આવે છે. પછી એ નિમણૂંક પાકી કરતાં વર્ષો લાગી જાય. ત્યારે ફરી જાહેરખબર અને ફરી ઇન્ટરવ્યુનું ચક્ર ચાલે. વસંતબહેને ત્યાં ત્રણ વર્ષ અધ્યાપન કર્યા પછી, એ લેક્યરચના હોદાની જાહેરખબર અપાઈ એટલે વસંતબહેને અરજી કરી. પછી ઇન્ટરવ્યું ગોઠવાયા. એ વખતે તાજી એમ.એ. થયેલી એક વિદ્યાર્થિનીએ પણ અરજી કરી હતી અને તેની લાગવગ ઘણી હતી. જ્યારે ઈન્ટરવ્યુ લેવાના હતા ત્યારે એ પસંદગી–સમિતિમાં સરકારે મારી પણ નિમણૂંક કરી હતી. ઈન્ટરવ્યુ પૂરા થયા પછી સમિતિના બીજા બે સભ્યોએ આ નવી વિદ્યાર્થિની માટે જોરદાર આગ્રહ કર્યો. મને થયું કે આમાં વસંતબહેનને અન્યાય થશે અને એમની નોકરી જશે. મેં પણ વસંતબહેનના પક્ષે જે મહત્ત્વનાં કારણો હતાં તે આગ્રહપૂર્વક રજૂ કર્યા. સરકારના પ્રતિનિધિએ મારી વાત મંજૂર રાખી અને એ અંગેના નિયમો બતાવ્યા. આથી પેલા બે સભ્યો વધુ બોલી ન શક્યા. પરિણામે વસંતબહેનની નોકરી બચી ગઈ હતી. તેઓ નિવૃત્ત થયાં ત્યાં સુધી એ કોલેજમાં જ ભણાવતાં રહ્યાં હતાં. નિવૃત્તિ પછી થોડા વખતમાં જ લિવરના કેન્સરની બીમારીને કારણે તેઓ અવસાન પામ્યાં હતાં. એમના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178