SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૭ સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા ભાગવતપુરાણ એમણે મૂળ સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. એક વખત શ્રીકૃષ્ણ વિશે કોઇક ભાઇએ “મુંબઈ સમાચાર”માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે “ભગવાન શ્રીકૃષ્ણ' એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે “મુંબઈ સમાચારમાં છપાયા હતા. તનસુખભાઇએ ઇ. સ. ૧૯૪૯માં “દલપતરામ-એક કાવ્યાભિગમ” નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઈડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઇમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતું નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરતો સમય આપી શકતા . નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. દરમિયાન યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂંક કરી. તનસુખભાઇને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. થિસિસનું બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. . ટાઈપ કરેલાં સાડા સાતસો પાનાંનો આ શો ધપ્રબંધ તનસુખભાઇએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. (હાલ આની માત્ર બે જ નકલ છે–એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઇની પોતાની, જે એમણે મુંબઇમાં મીઠીબાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy