SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કોલેજને આપી દીધી હતી.) લગભગ સાડાસાતસો પાનાના આ શોધપ્રબંધમાં દલપતરામના જીવન અને કવનનો બહુ ઊંડાણથી અભ્યાસ થયો છે. કેટકેટલી વિગતો ઉપર નવો પ્રકાશ એમણે પાડ્યો છે. લગભગ પાંચ દાયકા પહેલાં લખાયેલો આ દળદાર મહાનિબંધ નષ્ટ થાય એ પહેલાં કોઇક વ્યક્તિ કે સંસ્થાએ સંપાદિત-સંક્ષિપ્ત કરીને છપાવવા જેવો છે. ૧૯૫૧માં હું મુંબઇની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર પછી તનસુખભાઇને વારંવાર મળવાનું થતું. ૧૯૫૫ પછી તેઓ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા અને અમારી ઝેવિયર્સ કોલેજમાં તેઓ તે માટે આવતા. ટેલિફોન વ્યવહાર ત્યારે આટલો સુલભ નહોતો. કેટલીયે વાર તેઓ આવ્યા હોય અને મનસુખભાઇને વર્ગમાંથી આવતાં વાર લાગે એમ હોય ત્યારે તનસુખભાઇની સાથે હું વાતે વળગતો. આ રીતે અમારો સંબંધ ગાઢ થયો હતો. તનસુખભાઇને પ્રવાસનો ઘણો શોખ હતો. સત્યાગ્રહ આશ્રમમાં રહેનાર અને દાંડીયાત્રામાં ભાગ લેનાર માણસો ચાલવામાં જબરા હોય. તનસુખભાઇને હિમાલયનું અનેરું આકર્ષણ હતું. તેમણે બદ્રી-કેદાર, ગંગોત્રી-જમનોત્રીની પગપાળા યાત્રા પાંચ વાર કરી હતી. તેઓ ભારતમાં અન્ય ઘણે સ્થળે ફર્યા હતા અને રવીન્દ્રનાથના શાંતિ-નિકેતનમાં પણ રહ્યા હતા. તનસુખભાઇએ મોટી ઉંમરે લગ્ન કર્યા હતાં. એમનાં પત્ની સૌરાષ્ટ્રના પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની હરગોવિંદ પંડ્યા (પંડિતજી)ની સુપુત્રી વસંતબહેન ત્યારે એસ.એસ.સી.-મેટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઇએ સંકલ્પ કર્યો કે ઠેઠ એમ.એ. અને પીએચ.ડી. સુધી વસંતબહેનને પહોંચાડવાં. એ માટે એમણે વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. વસંતબહેન મુંબઈની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy