Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે.
એમના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું પાસું પરમાત્મા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ઈશ્વરની કરણામાં અપાર વિશ્વાસ ઉપર તો એમનું જીવન અવલંબિત હતું. પોતાનાં ભજનો દ્વારા તેઓ એક કવિ કરતાં એક ભક્તના રૂપમાં વિશેષરૂપે આપણી સામે રજૂ થાય છે. એમનું આખું જીવન એમની પોતાની કેટલીક માની લીધેલી ભાવનાઓથી ગૂંથાયેલું રહ્યું હતું. તેમના પર રવિભાણ પરંપરાની (સંપ્રદાયની) છાપ હોય જ. કારણ કે તેમના અનુયાયી હતા. એટલે એમના નિયમિત અને વ્યવસ્થિત જીવનવ્યક્તિત્વની ભજનોમાં પડેલી જોવા મળે છે. આદર્શ ગુરુભક્ત
દાસીજીવણના ભજનોમાં ગુરુનું સ્થાન અનોખું છે. તેમાં દાસીજીવણ એક ગુરુભક્ત તરીકે આપણને ડોકિયું કરતાં જોવા મળે છે. આગવી સંત પરંપરા પ્રમાણે ગુરુનું મહત્ત્વ એમનાં જીવનમાં વિશિષ્ટ પ્રકારનું છે.
ગુરુની સેવાએ અમે પદ પામીએ,
ગુરુ સેવા વર્ણવી ન જાય અનંત મહિમાં ગુરુજી તણા
સંત ગુરુ સમર્પે કારજ સઈ થાય જે સમાજમાં સતગુરુની સાનમાં
ભાપરિયા ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર... વગેરે જેવી) આવી પંક્તિઓમાં આપણને દાસીજીવણના ગુરૂવિષયક વિચારો સ્પષ્ટપણે આલેખાયેલા જોવા મળે છે. ગુરુ તેમને મન પરમાત્મા સમાન છે અને ગુરુની કૃપાથી તો તેઓના હૃદયમાં અજવાળું થયું છે. પ્રભુની દાસી બનીને પરમાત્માને પોતાના માલિક કલ્પીને એની સાથે અદબથી આમન્યા જાળવીને તેમણે વ્યવહાર કર્યો છે તે અજોડ છે.વાણી અને વર્તનમાં એકરૂપતા જોવા મળતી હોય તો તે દાસી જીવણમાં..... ભજન સાહિત્યનો તેજસ્વી કવિ
દાસીભાવના પ્રેમાર્દ ભજનોને કારણે રવિભાણ પંથના અનુયાયીઓ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની ભજન મંડળીઓમાં પોતાનું આગવું (નક્ક૨) સ્થાન જમાવી બેઠેલા દાસીજીવણ ભજન સાહિત્યના એક તેજસ્વી કવિ છે. મીઠી લહકથી સ્વરોમાં આરોહ-અવરોહ લયવળાંક અને સમુચિત રાગ ઢાળથી ગવ ભજનો, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગ, ગુરુમહિમા કે ચેતવણીનાં ભજનો એટલાં બધાં લોકપ્રિય બન્યાં છે કે આકાશવાણી પરથી પ્રસારિત થતી “ભજનાવલી"માં લગભગ દરરોજ એકાદ-બે પદ દાસીજીવણનાં અચૂક ગવાય છે. લોકપ્રિય ભજનોનું સંપાદન કરતો એક પણ ભજનસંગ્રહ એવો નહીં હોય કે જેમાં દાસીજીવણનાં કેટલાંક ભજનો સંપાદિત ન થયાં હોય.
દાસીજીવણનાં ભજનો સૌરાષ્ટ્રમાં “બાઈ મીરાં'ની વાણી જેટલાં જ લોકપ્રિય છે.
રૂપકો, વર્ણધ્વનિચિત્રો અને તળપદી વાગભંગીઓના આશ્રય લેતી કવિની વાણીમાં હિંદીનો વણાટ છે. ને ઘણાં પદો હિંદી ભાષામાં પણ મળે છે.
मोर तुं अवडां ते रुप क्याथी लाव्यो रे मोरलो मरित लोकमां आव्यो.' 'हे मोर ! तू ऐसा रूप कहाँ से ले आया । इतना सुन्दर मोर मृत्युलोक में अवतरित हआ है।'
સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only