Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તે સમયે આ મહાત્માને સાર્થ ઝમરોષ કંઠસ્થ થયો હતો. અષ્ટમવર્ષે ઉપનયન સંસ્કાર કરી પિતાએ તેમને ગાયત્રી ઉપદેશ તથા વેદારંભ કરાવ્યો અને માતામહશ્રી વ્રજવલ્લભજી ગ્રંથનિર્માણ પ્રસંગે આરંભે પોતાને મો ગુરુશ્રી व्रजवल्लभस्य पितुघनश्यामतः आप्तविद्य: । Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચાલતું હતું ત્યારે નવમે વર્ષે શીતળાના ઉપદ્રવથી પંડિતશ્રીની દૃષ્ટિ જતી રહી. માતાના કલ્પાંતને જોઈને મગનલાજી મહારાજે કહ્યું કે, “તારો પ્રતાપી પુત્ર પ્રજ્ઞાચક્ષુ થઈ બીજાઓને પણ અંધકારમાંથી પ્રકાશમાં લાવશે તેના ચર્મચક્ષુ જવાથી તેનો લૌકિક દૃષ્ટિ વ્યાપાર બંધ થયો છે. તે સંબંધી તું ખેદ છોડી દે.” નેત્રપીડા શાંત થતાં પંડિતશ્રીએ પ્રથમના અભ્યાસના અવિસ્મરણપૂર્વક પિતાની સહાયથી શ્રુતધર થઈ અધ્યયન કરવા લાગ્યા. ‘સિદ્ધાન્તઝામુદ્દી'ના અભ્યાસ સમયે મહાભાષ્યમાં આવવાની કોટી ભાષ્યનું અધ્યયન કર્યું નહોતું તે પહેલાં પંડિતજી પોતે જ આવતા. એમ તેમના સહધ્યાયી જીર્ણદૂર્ગસ્થ પંડિત દેવકીનંદજી વગેરે પોતે સ્વાનુભવથી કહે છે વ્યાકરણ સાથે કાવ્ય, નાટક, ચમ્પૂ, ઇત્યાદિ અનેક ગ્રંથ હોય તેને સંસ્કૃતમાં બોલવા લાગ્યા. થોડો સમય વ્યતીત થતાં ષડ્દર્શનમાં નિષ્ણાંત થયા. પંડિતશ્રીની અપ્રતિમ શક્તિનો પરિચય તેમને માનપુરઃસર અપાયેલી અનેક ઉત્તમ પદવીઓથી સિદ્ધ થાય છે. અઢારમા વર્ષે પિતા સાથે પંડિતશ્રી જાશીયાત્રા માટે ગયા હતા. ત્યાં અનેક વિદ્વાનોના સમાગમ અને સભા શાસ્ત્રાર્થો વગર અસાધારણ પ્રસંગોથી કાશી નિવાસી પ્રૌઢ વિદ્વાનોમાં પંડિતજી અગ્રગણ્ય મનાયા અને મોટું માન પામ્યા અને ત્યાં મોટી સભાઓમાં ઘટિકાશતક અતિ કઠિન અને અસંબદ્ધ પાદ પૂર્તિઓ, અનેક પ્રકારના રસાલંકારથી અલંકૃત તથા શબ્દાર્થ ગૌરવવાળી શીઘ્રકવિતા વગેરેના પ્રયોગો અને સહસ્રાવધાનના અદ્ભૂત ચમત્કારો કરી બતાવ્યાથી કાશી-નિવાસી સર્વમાન્ય સર્વ શિષ્ટોએ સર્વાનુમતે તેઓને શીઘ્રવિ અને શતાવધાની પદ આપ્યું અને ત્યાંની જ પ્રાચીન તત્ત્વદર્શક પાઠશાળામાં ‘પ્રસિદ્ધ પંડિત’ એ સર્વોત્તમ પદવી વેદાન્તની ચર્ચામાં અનન્ય સામાન્ય શક્તિથી આકર્ષાઈને આપવામાં આવી. સવંત ૧૯૪૩-૪૪ ની સાલમાં પંડિતશ્રી જગન્નાથજી વગેરે સ્થળે યાત્રાએ ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા તે વખતે દિલ્હીમાં ભારતધર્મ મહામંડલ (Religious Congress) ભરાવવાનું હતું. તેમાં કાશીનિવાસી ધુરંધર પંડિતો શિવકુમાર શાસ્ત્રી અને હરજસરાયજી આદિ સમગ્ર ભારતવર્ષના સેંકડો વિદ્વાનો એકઠા થયા હતા. તે મહાપરિષદમાં પંડિતજીએ શાસ્ત્રાર્થો કર્યા ઉપરાંત વૈદિકધર્મ પર સંસ્કૃતમાં એવું સરસ વ્યાખ્યાન આપ્યું હતું કે, જેની અસર સમર્થ વિદ્વાનોના અંતઃકરણ ૫૨ બહુ જ થઈ હતી. ત્યારબાદ પંડિતજીએ સહસ્રાવધાનના ચમત્કારિક પ્રયોગો, ઘટિકાશતક આદિ શીઘ્રકવનના ચમત્કારો, ગમે તેવા વિકટ પ્રશ્નોના તત્કાલ ઉત્તરો દેવા વગેરે કરી બતાવ્યા હતા. તેનાથી આનંદાશ્ચર્ય પામી તે સમર્થ સમગ્ર વિદ્વાનોએ પંડિતશ્રીને બહુમાનપુરઃસર ‘ભારતમાતક’(ભરતખંડના સૂર્ય) એવી અદ્વિતીય પદવી અર્પણ કરી. મુંબઈમાં શ્રીમદ્ ગોવર્ધન લાલજીએ મુંબઈ પધારી ત્યાં વિશાળ સભા કરી પંડિતશ્રીનું વેદાન્તવિષયનું અગાધ જ્ઞાન જોઈ તેમને યથાર્થસ્વરૂપ પ્રતિપાદિત ‘વેવાન્ત ભટ્ટાચાર્ય' (વેદાંત વિષયોના વિદ્વાનોના આચાર્ય) એ સર્વોત્તમ પદ ઘણા જ માનપૂર્વક અર્પિત કર્યું. પંડિતશ્રીએ રચેલા પ્રસિદ્ધ ગ્રંથો : પંડિતશ્રીને સર્વશાસ્ત્રમાં સમાન સામર્થ્ય હતું. અન્ય સમર્થ વિદ્વાનોએ પૌઢ વયે કરેલા ગ્રંથોની બરોબરી કરે તેવા સંસ્કૃત ગ્રંથો અતિ અલ્પ વયમાં બનાવીને તેમણે પોતાની અલૌકિક દિવ્યશક્તિના દર્શન કરાવ્યા છે. આથી કહી શકાય કે, ગફૂલાલજી કવિ બનેલા નથી પણ જન્મેલા છે.’ અગ્યારવર્ષની વયમાં પંડિતજીએ શિખરીણી છંદમાં યમુનાનહરી નામ ૫૨ શ્લોકનું (૧) યમુનાતહરી સંસ્કૃત કાવ્ય રચ્યું છે. ભારતમાર્તંડ શીઘ્રકવિ પંડિત શ્રી ગટ્ટુલાલજી ઘનશ્યામજી મહારાજનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન For Private and Personal Use Only ૮૯

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125