Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 99
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્પન્ન થયેલો આનંદ, સદાનંદને મિત્રને મળવા ઉતાવળ કરાવે છે. ચારે તરફ નજર કરતા, પ્રકૃતિમાં પણ પરિવર્તન જણાય છે. વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓની મધુર બોલી કંઈક શુભ સૂચવતી જણાય છે. આથી આજે કોઈ મોટો ઉદય હોવો જોઈએ એમ અનુમાન કરી, આનંદનું કારણ જાણવા મિત્ર મુકુંદ શાસ્ત્રીના ઘર તરફ જાય છે. સુખાસનમાં બેઠેલા અને પુસ્તક વાંચતા મુકંદ શાસ્ત્રી પ્રવેશ કરે છે. તેનું મન પણ આજે આકસ્મિક આનંદ અનુભવે છે. દરમ્યાન સદાનંદ આવે છે. બંને મિત્રો મળે છે અને આકસ્મિક ઉત્પન્ન થયેલા આનંદની પરસ્પર ચર્ચા કરે છે. ત્યાં નેપથ્યમાંથી કોઈ અવાજ સંભળાય છે. સદાનંદ મિત્ર ગંગાધરના અવાજને ઓળખી જાય છે. ગંગાધર આવીને જણાવે છે કે રાણી શ્રી નંદકુંવરબાએ પ્રાત:કાળમાં કુમારશ્રીને જન્મ આપ્યો છે. શુભ અવસરને વધાવવા ઘેરઘેર ઉત્સવોના આયોજન થઈ રહ્યા છે. બંદીવાનોને મુક્ત કરાયા છે. સર્વત્ર આનંદમંગળ પ્રવર્તે છે. મુકુંદ અને સદાનંદ હર્ષવિભોર થઈ ઊઠે છે. પ્રજાજનોના જન્મજન્માંતરોનાં સુકૃતોના પરિણામરૂપ મળેલા કુમારના જન્મ નિમિત્તે ત્રણ મિત્રો પરસ્પર આલિંગન આપી એકબીજાને અભિનંદે છે. સદાનંદ, પશુપક્ષી તથા વૃક્ષોમાં પ્રવર્તતા આનંદને એક ગીત દ્વારા રજૂ કરે છે. સમગ્ર વાતાવરણ ઉલ્લસિત છે. શિવે કરેલી આ કૃપાથી ઉપકૃત બનેલા ત્રણે મિત્રો ગીત દ્વારા શંકરનું સ્તવન કરે છે. અને પ્રિય મિત્ર શ્રીકંઠને આ વૃત્તાંત જણાવવા તેના ઘર તરફ ત્રણે પ્રયાણ કરે છે. અહીં પ્રથમ અંક પૂરો થાય છે. બીજા અંકના પ્રારંભે ત્રણે મિત્રો શ્રીકંઠ શાસ્ત્રીના ઘેર આવી પહોંચે છે. શ્રીકંઠનો શિષ્ય ચિંતામણિ ત્રણેને પ્રવેશ કરાવે છે. શ્રીકંઠ શાસ્ત્રી શયનકક્ષમાં આરામ કરી રહ્યા છે. તેથી ત્રણ મિત્રો શ્રીકંઠના જાગવાની રાહ જોતા બેસે છે. ત્યાં તો શ્રીકંઠ સ્વપ્નાવસ્થામાં જ પોતાના આશ્રયદાતા રાજવી ભાવસિંહજી અને મંત્રી શ્રી પ્રભાશંકરની કાવ્યમય પ્રશસ્તિ કરે છે અને રાજગૃહે કુમારજન્મની કામના કરે છે. થોડી ક્ષણો પછી, ફરી નિદ્રામાં જ રાજાની પ્રશંસા કરતા અને પ્રજાકલ્યાણાર્થે ધીર અને તેજસ્વી કુમારજન્મની કામના વ્યક્ત કરતા આશીર્વાદાત્મક શ્લોક બોલે છે. પાસે બઠેલા ત્રણે મિત્રો, શ્રીકંઠના રાજા પરના નિર્મળપ્રેમની પ્રશંસા કરે છે અને રાજા ભાવસિંહજીએ કરેલા પ્રજાકલ્યાણના કાર્યોની વિસ્તારપૂર્વક ચર્ચા કરે છે. દરમ્યાન શ્રીકંઠ શાસ્ત્રી જાગે છે અને મિત્રોને જોઈને પ્રસન્ન થાય છે. મિત્રો વાતોએ વળગે છે. શ્રીકંઠ સ્વપ્નમાં જોયેલી સભાની વાત આરંભે છે. પોતે પણ આમંત્રણ હોવાથી આ સભામાં ઉપસ્થિત છે. આ સભામાં ભાવસિંહજીને બ્રિટિશ સરકાર દ્વારા કે.સી.એસ.આઈ. ખિતાબ પ્રાપ્ત થયો. આ પ્રસંગ નિમિત્તે ગવાયેલું ગીત તેઓ ગાય સંભળાવે છે. કુશળ વક્તાઓના પ્રવચન પછી તેઓ પણ રાજા તથા રાણી શ્રીમતી નંદકુંવરબાને આશીર્વચનથી વધાવે છે. અહીં સ્વપ્નવૃત્તાંત પૂરો થાય છે. સ્વપ્નમાં શુદ્ધ હૃદયથી વ્યક્ત કરેલી અભિલાષા પૂર્ણ થઈ છે. એમ જણાવી મિત્રો કુમારજન્મના સમાચાર આપે છે. શ્રીકંઠ વિ.સં. ૧૯૬૮ જેઠ સુદ ત્રીજની જન્મતિથિને ઉત્તમ ગણાવે છે અને પોતાના શિષ્યોને બાળલીલાની કવિતાઓ રચવાની મિત્રો દ્વારા આજ્ઞા આપે છે. પોતે ગોહિલોના કુળદેવીના મંદિરે ભગવતીની સ્તુતિ કરવા જાય છે અને મિત્રોને પોતાના શિષ્યવર્ગ સાથે તરત જ ત્યાં પહોંચવા જણાવે છે. ત્રીજા અંકની શરૂઆતમાં ભક્તજનો, શિષ્યો સહિત બ્રહ્મચારી શિવાનંદ તથા નિત્ય દુર્ગાપાઠ કરનાર અંબિકાદર ગોહિલોના કુળદેવી ભગવતીની આરતી કરે છે. આરતી પૂરી થતા, ભાવસિંહજીના ઘરે પુત્રજન્મની માનતા કરનારા નગરજનોના મનોરથ પૂર્ણ થતા નગરજનો યથાશક્તિ અનેક વસ્તુઓ ભગવતીને નિવેદિત કરે શ્રીકૃષ્ણકુમારાવ્યુદયમું - એક અભ્યાસ ૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125